Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsEntertainmentસોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું વેડિંગ કાર્ડ થયું વાયરલ

સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલનું વેડિંગ કાર્ડ થયું વાયરલ

મુંબઈ: શત્રુઘ્ન સિન્હાની લાડકી દીકરી સોનાક્ષી સિંહા લગ્ન કરવા જઈ રહી છે. સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ ઘણા સમયથી એકબીજાને ડેટ કરી રહ્યા હતા અને હવે બંને એકબીજા સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. સોનાક્ષી અને ઝહીરનો એક ઓડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ એમ કહીને તેમના લગ્નની પુષ્ટિ કરે છે કે તેઓ ‘તે ક્ષણ’ સુધી પહોંચવા માટે તૈયાર છે જે તેમને એકબીજાના ‘ઓફિશિયલ રીતે પતિ-પત્ની’ બનાવશે. પોસ્ટમાં સોનાક્ષી અને ઝહીરની તસવીર સાથેનું ટાઈટલ કાર્ડ જોઈ શકાય છે. કાર્ડ આમંત્રણમાં એક QR કોડ પણ છે જેમાં તે બંને તરફથી તેમના શુભેચ્છકોને સંદેશ આપવામાં આવ્યો છે. આ કાર્ડમાં વેડિંગ ડેસ્ટિનેશન અને ડ્રેસ કોડ પણ સ્પષ્ટ કરવામાં આવ્યો છે. બંને ‘બેસ્ટન એટ ધ ટોપ’ પર લગ્ન કરશે. વેડિંગ ડ્રેસ કોડની થીમ ફોર્મલ અને ફેસ્ટિવ છે. મહેમાનોને લાલ કપડા પહેરીને ન આવવા વિનંતી કરવામાં આવી છે.

સોનાક્ષી અને ઝહીરનો ખાસ સંદેશ

સોનાક્ષી અને ઝહીર બંને કહે છે, ‘અમારા તમામ હિપ, ટેક સેવી અને જાસૂસ મિત્રો અને પરિવારના સભ્યો કે જેઓ આ પેજ પરઆવ્યા છે તેમને હેલો! અમે છેલ્લા સાત વર્ષથી સાથે છીએ, બધી ખુશીઓ, પ્રેમ, હાસ્ય અને ઘણા સાહસો અમને આ ક્ષણ સુધી લાવ્યા છે.જે ક્ષણે અમને ગર્લફ્રેન્ડ અને બોયફ્રેન્ડમાંથી સત્તાવાર પતિ અને પત્નીમાં પરિવર્તિત થઈશું.છેવટે…તેની ઉજવણી તમારા વિના પૂર્ણ નથી! 23મી જૂને, તમે જે પણ કરો છો તે છોડી દો અને અમારી સાથે પાર્ટીમાં આવો.

કપલની કેવી રીતે થઈ મુલાકાત?

ETimes ના અહેવાલમાં જાણવા મળ્યું છે કે સોનાક્ષી સિન્હા અને ઝહીર ઈકબાલ પહેલીવાર સલમાન ખાનની પાર્ટીમાં મળ્યા હતા.પાર્ટીમાં જ બંને વચ્ચે સારો તાલમેલ હતો અને તેઓ સારા મિત્રો બની ગયા હતા. ધીરે ધીરે સંબંધ ગાઢ થતો ગયો અને બંને નજીક આવ્યા. બંનેનું કહેવું છે કે તેઓ પહેલી મુલાકાત બાદ એકબીજાના પ્રેમમાં પડ્યા હતા, પરંતુ આ સંબંધને નામ આપવામાં થોડો સમય લાગ્યો હતો.હવે બંને સોશિયલ મીડિયા પર એકબીજા પર પ્રેમ વરસાવતા શરમાતા નથી.

કોણ છે ઝહીર ઈકબાલ, લગ્ન પર શું કહ્યું શત્રુઘ્ન સિંહા?

હવે વાત કરીએ સોનાક્ષી સિન્હાના ભાવિ પતિ ઝહીર ઈકબાલની, તે 35 વર્ષનો છે. તેનું પૂરું નામ ઝહીર ઈકબાલ રતનસી છે અને તેણે મુંબઈ સ્કોટિશ સ્કૂલમાં અભ્યાસ કર્યો છે. ઝહીર પ્રખ્યાત જ્વેલર્સ પરિવારમાંથી આવે છે. તેમના પિતા ઈકબાલ રતનસી એક પ્રખ્યાત જ્વેલર બિઝનેસમેન છે. જોકે સોનાક્ષીના પરિવારે લગ્ન અંગે મૌન જાળવી રાખ્યું છે. શત્રુઘ્ન સિન્હાએ તાજેતરના નિવેદનમાં કહ્યું હતું કે તેઓ એટલું જ જાણે છે જેટલું મીડિયામાં જાણીતું છે. અભિનેત્રીના ભાઈએ પણ આ અંગે કંઈપણ કહેવાનો ઈન્કાર કર્યો હતો. જોકે, શત્રુઘ્ન સિન્હાએ સ્પષ્ટ કર્યું કે જો સોનાક્ષી લગ્ન કરી રહી છે તો તે લગ્નમાં હાજરી આપશે અને લગ્નનમાં ડાન્સ કરશે. આટલું જ નહીં, તેમણે એમ પણ કહ્યું કે આજના બાળકો પોતાની મરજી પ્રમાણએ લગ્ન કરે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular