Saturday, June 7, 2025
Google search engine
HomeNewsInternationalગેરકાયદે પ્રવાસીઓ માટે અધિકારીઓ ગુરુદ્વારામાં ઘૂસતાં શીખ સમાજ નારાજ

ગેરકાયદે પ્રવાસીઓ માટે અધિકારીઓ ગુરુદ્વારામાં ઘૂસતાં શીખ સમાજ નારાજ

નવી દિલ્હીઃ અમેરિકામાં ગેરકાયદે વસાહતીઓ સામે કડક કાર્યવાહી ચાલી રહી છે. આ અંતર્ગત અમેરિકાના હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓએ ન્યુ યોર્ક અને ન્યુ જર્સીમાં ગુરુદ્વારામાં દરોડા પાડ્યા હતા. તપાસ અધિકારીઓની આ કાર્યવાહીથી શીખ સંગઠનો નારાજ થયા છે. તેમણે આ દરોડાને વિશ્વાસઘાત અને શીખ સમુદાયની આસ્થા વિરુદ્ધ ગણાવ્યા છે.

ન્યુ યોર્ક અને ન્યુ જર્સીના કેટલાક ગુરુદ્વારા શીખ અલગતાવાદીઓ અને ગેરકાયદે વસાહતીઓનું ઘર હોવાનું માનવામાં આવે છે. અગાઉની બિડેન સરકારમાં એવા નિયમો હતા કે ઇમિગ્રેશન અને બોર્ડર સિક્યોરિટી ઇન્સ્પેક્શન એજન્સીઓ પૂજા સ્થાનો, શાળાઓ વગેરેમાં કાર્યવાહી કરી શકતી ન હતી. જોકે ડોનાલ્ડ ટ્રમ્પે તેમના એક્ઝિક્યુટિવ ઓર્ડર દ્વારા તે પ્રતિબંધને નાબૂદ કર્યો છે. હોમલેન્ડ સિક્યુરિટી અધિકારીઓનું કહેવું છે કે ગુનેગારો અને ગેરકાયદે ઇમિગ્રન્ટ્સ હવે શાળાઓ, ચર્ચો અથવા અન્ય પૂજા સ્થાનોમાં છુપાઇ શકશે નહીં.

 શીખ સંગઠનોએ હોમલેન્ડ સિક્યોરિટી દ્વારા ગુરુદ્વારાઓમાં દરોડાનો વિરોધ શરૂ કર્યો છે. શીખ અમેરિકન લીગલ ડિફેન્સ એન્ડ એજ્યુકેશન ફંડે એક નિવેદનમાં સંવેદનશીલ સ્થળો જેમ કે પૂજા સ્થાનો, શાળાઓ વગેરેમાં શોધખોળની ટીકા કરી હતી. સંગઠને કહ્યું હતું કે ગુરુદ્વારા માત્ર પૂજા સ્થાનો નથી, પરંતુ તે કોમ્યુનિટી હોલ છે, જે શીખો અને અન્ય સમુદાયોને મદદ કરે છે. ગુરુદ્વારાઓને આ રીતે નિશાન બનાવવાથી સમગ્ર શીખ સમુદાયમાં નારાજગી પેદા થશે. અન્ય એક સંસ્થાએ કહ્યું કે ગુરુદ્વારાઓ પર વોરંટ વગર અથવા તો તેની સાથે પણ દેખરેખ અસ્વીકાર્ય છે. આ અમારી આસ્થા પર હુમલો છે અને ધાર્મિક પ્રવૃત્તિઓને અસર થશે.અમેરિકી સંસદના નીચલા ગૃહના સ્પીકર માઈક જોન્સને ચેતવણી આપી છે કે જે પણ દેશ અમેરિકાથી દેશનિકાલ કરવામાં આવેલા તેના નાગરિકોને પરત લેવામાં સહયોગ નહીં કરે તેના પર પ્રતિબંધો લાદવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular