Sunday, June 8, 2025
Google search engine
HomeNewsGujaratશાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કારકિર્દીલક્ષી કાર્યક્રમ

શાંતિ બિઝનેસ સ્કૂલમાં વિદ્યાર્થીઓ માટે ખાસ કારકિર્દીલક્ષી કાર્યક્રમ

અમદાવાદ: “શાંતિ બિઝનેસ સ્કૂલ” દ્વારા સ્નાતક અભ્યાસક્રમના વિદ્યાર્થીઓ માટે એક ઓરિએન્ટેશન પ્રોગ્રામનું આયોજન કરાયું હતું. “ટ્રાન્સફોર્મિંગ એમ્બિશન્સ ઇન ટુ એચિવમેન્ટસ” થીમવાળી આ ઇવેન્ટનો ઉદ્દેશ્ય વિદ્યાર્થીઓને તેમની આકાંક્ષાઓને સાકાર કરવા માટે પ્રેરણા આપવા અને માર્ગદર્શન આપવાનો હતો.“આ ઓરિએન્ટેશન પ્રોગ્રામના ઉદઘાટન સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે ગુજરાત સરકારના ઉચ્ચ શિક્ષણ વિભાગના પૂર્વ નિયામક પંકજ ઓંધિયા ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કરીને વિદ્યાર્થીઓ સાથે મૂલ્યવાન આંતરદૃષ્ટિ શેર કરતાં ખાસ કરીને UPSC અને GPSC જેવી સિવિલ સેવાઓમાં કારકિર્દી પર ધ્યાન કેન્દ્રિત કરવા સલાહ આપી. IAS અને IPS જેવી પ્રતિષ્ઠિત પરીક્ષાઓ માટે પ્રારંભિક તૈયારીના મહત્વ પર ભાર મૂક્યો, તેમજ યોગ્ય અભિગમ અને સફળતા માટે નિર્ણાયક પાસાઓ પર પ્રકાશ પાડ્યો હતો. ત્યાર બાદ સંસ્થાના ડિરેક્ટર ડો. નેહા શર્માએ આ પ્રસંગે વિદ્યાર્થીઓને સંબોધ્યા હતા. કાર્યક્રમમાં ડૉ. રવિરાજ ગોહિલ, ડૉ. નીરવ વ્યાસ અને ડૉ. સુરભી પિલ્લઈ દ્વારા નિષ્ણાત સેશને લેવામાં આવ્યા હતા. ડૉ. વ્યાસે “સમસ્યા-ઉકેલ અને નવીન કૌશલ્યો, “વિદ્યાર્થીઓના વિવિધ પડકારો પર પ્રકાશ પાડતા અને સંશયવાદ અને આશાવાદ પર ભાર મૂકતા, નવીન ઉકેલો પ્રદાન કરવાની ચર્ચા કરી.” ટેક્નોલોજી ઓફ અવર ટાઈમ” પર ડૉ. ગોહિલના સેશનમાં જટિલ તકનીકી ખ્યાલોને અસરકારક રીતે સમજાવવામાં આવ્યા હતા. ડો. પિલ્લાઇએ ભાષા સુધારણા અને વૈશ્વિક સહયોગને પ્રોત્સાહન આપતા “કોમ્યુનિકેશન અને પર્સનાલિટી ડેવલપમેન્ટ”ના મહત્વ પર ધ્યાન કેન્દ્રિત કર્યું હતું. ઇન્ટરેક્ટિવ સત્રોની વિદ્યાર્થીઓ દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular