Saturday, June 7, 2025
Google search engine
HomeNewsEntertainmentશાહરુખને નહોતી કરવી દેવદાસ, ભણસાલીની એક વાત સાંભળી પાડી હા

શાહરુખને નહોતી કરવી દેવદાસ, ભણસાલીની એક વાત સાંભળી પાડી હા

મુંબઈ: શરત ચંદ્ર ચટ્ટોપાધ્યાયની નવલકથા પર આધારિત સંજય લીલા ભણસાલીની ‘દેવદાસ’ ભારતીય સિનેમા અને શાહરૂખ ખાનની કારકિર્દીની બેસ્ટ ફિલ્મોમાંની એક છે. જોકે, એ બીજી વાત છે કે શાહરૂખ ખાન પહેલા આ ફિલ્મ કરવા તૈયાર નહોતા. જી હા, આ વાતનો ખુલાસો ખુદ કિંગ ખાને કર્યો છે. વાસ્તવમાં, તાજેતરમાં જ શાહરૂખ ખાનને ‘લોકાર્નો ફિલ્મ ફેસ્ટિવલ’માં ‘પાર્ડો અલા કેરીએરા’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવ્યો હતો. આ એવોર્ડથી સન્માનિત થનાર શાહરૂખ પ્રથમ ભારતીય છે. આ કાર્યક્રમમાં શાહરૂખ ખાન સ્ટારર ફિલ્મ ‘દેવદાસ’ પણ લોકોને બતાવવામાં આવી હતી. આવી સ્થિતિમાં કિંગ ખાને આ ફિલ્મ સાથે જોડાયેલો એક ખૂબ જ રસપ્રદ કિસ્સો શેર કર્યો છે.

શાહરૂખે દેવદાસ વિશે શું કહ્યું?
શાહરૂખ ખાને ખુલાસો કર્યો કે તે આ ફિલ્મ કરવા માટે તૈયાર નહોતા, પરંતુ ભણસાલીએ તેને આ ફિલ્મ કરવા અને દેવદાસ બનવા માટે સમજાવ્યા. કારણ કે, ભણસાલીને લાગ્યું કે શાહરૂખ દેવદાસનો રોલ કરવા માટે પરફેક્ટ છે. જોકે, સવાલ એ છે કે ભણસાલીએ એવું શું કહ્યું કે ના કહેવાથી અચકાતા શાહરૂખ આ ફિલ્મ માટે સંમત થઈ ગયા.

શાહરૂખે દેવદાસ કરવાની ના પાડી હતી
દેવદાસ વિશે વાત કરતા શાહરૂખ ખાને કહ્યું,’ આને ઘણી વાર બનાવવામાં આવી છે અને આ એક એવા છોકરા વિશે છે જે શરાબી છે, કોઈ છોકરી સાથે કમિટેડ નથી અને જતો રહે છે. જ્યારે મને આ ફિલ્મની ઓફર કરવામાં આવી હતી ત્યારે મને તે ઉંમરે તેમાં કોઈ સાર દેખાતો નહોતો. ઘણા વર્ષો પહેલા જ્યારે સંજય લીલા ભણસાલી, જે મને લાગે છે કે અમારા સમયના સૌથી પ્રતિભાશાળી ફિલ્મ નિર્માતાઓમાંથી એક છે, ત્યારે તેઓ આવ્યા અને તેમણે કહ્યું, હું ઈચ્છું છું કે તમે દેવદાસ કરો. મેં કહ્યું, ના, તે હારેલો આદમી છે, શરાબી છે. હું દેવદાસ બનવા માટે ઘણો સારો છું!’

ભણસાલીએ શાહરૂખને કેવી રીતે મનાવ્યો?
તેના વિશે વાત કરતાં શાહરૂખ આગળ કહે છે, જોકે વાતને આગળ ખેંચવાનો કોઈ મતલબ નહોતો, જતા પહેલા તેણે માત્ર એક વાત કહી,જે મને સ્પર્શી ગઈ. તેમણે કહ્યું, ‘તમારી સાથે નહીં તો કોઈની સાથે આ ફિલ્મ નહીં, કારણ કે તમારી આંખો દેવદાસ જેવી છે.’ તો મેં કહ્યું, ઠીક છે. તેમણે કહ્યું,’હું કોઈને કાસ્ટ નહીં કરું.’ અને તેણે એક વર્ષ સુધી કોઈને પણ કાસ્ટ ન કર્યા. પછી અમે ફરી મળ્યા અને મેં કહ્યું,’ઠીક છે, જો તમને મારા જેવી આંખો ન મળતી હોય તો હું ફિલ્મ કરીશ.’

શાહરૂખે આગળ શું કહ્યું?
શાહરૂખે એમ પણ કહ્યું હતું કે તે નથી ઈચ્છતો કે દેવદાસ પર કોઈ ધ્યાન આપે,ભલે એક્ટિંગ સારી હોય. મને એવા પાત્રો ભજવવાનું પસંદ નથી કે જે મહિલાઓનું અપમાન કરે. હું પ્રમાણિક રહીશ. હું નહોતો ઇચ્છતો કે ફિલ્મમાં તેને એટલા માટે પસંદ કરે કે એક સ્ત્રી છે જે તેને પ્રેમ કરે છે, પરંતુ તે તેના માટે કમિટેડ નથી. હું ઇચ્છતો હતો કે તેને એવી વ્યક્તિ તરીકે જોવામાં આવે જે થોડો સાહસ વગરનો છે. આ એવી વ્યક્તિ નથી જેને તમારે જોવી જોઈએ.”

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular