Friday, June 13, 2025
Google search engine
HomeNewsMumbaiલોકો દેશદ્રોહીઓને કેવી રીતે જીતાડી શકે?: સંજય રાઉત

લોકો દેશદ્રોહીઓને કેવી રીતે જીતાડી શકે?: સંજય રાઉત

મુંબઈ: મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીના પ્રારંભિક વલણોમાં ભાજપના નેતૃત્વમાં મહાયુતિ ગઠબંધનને બમ્પર બહુમતી મળી છે. ગઠબંધન 200 બેઠકોનો આંકડો પાર કરી ગયો છે. જ્યારે મહા વિકાસ આઘાડી માત્ર 68 સીટો સુધી જ સીમિત છે. શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પ્રારંભિક વલણો પછી પ્રતિક્રિયા આપી છે.

સંજય રાઉતે મહાયુતિ ગઠબંધન પર નિશાન સાધ્યું છે. શિવસેના (યુબીટી)ના નેતાએ શિવસેનાના શિંદે જૂથની જીત પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે સવાલ ઉઠાવ્યો કે એકનાથ શિંદેના તમામ ધારાસભ્યો કેવી રીતે જીતી શકે? લોકો દેશદ્રોહીઓને કેવી રીતે જીતાડી શકે? તાજેતરમાં અદાણી ગ્રૂપ સામેના આરોપો પર પણ પ્રતિક્રિયા આપી હતી. તેમણે મહાયુતિની જીત માટે અદાણી વિવાદને જવાબદાર ગણાવ્યો હતો. સંજય રાઉતે આ પરિણામ સ્વીકારવાનો ઇનકાર કર્યો હતો.

પ્રારંભિક વલણો પછી, શિવસેના (UBT) નેતા સંજય રાઉતે પત્રકારો સાથે વાત કરી. “આ મહારાષ્ટ્રના લોકોનો નિર્ણય ન હોઈ શકે. અમે જાણીએ છીએ કે મહારાષ્ટ્રના લોકો શું ઈચ્છે છે. આવા પરિણામનો અમલ થઈ શકે નહીં” તેવું તેમણે કહ્યું.

શરૂઆતના વલણો પર નજર કરીએ તો મહાયુતિ ગઠબંધન 220 સીટો પર આગળ છે જ્યારે મહાવિકાસ અઘાડી 55 સીટો પર આગળ છે. મહાગઠબંધનમાં ભાજપ 123, શિવસેના 57 અને એનસીપી 36 બેઠકો પર આગળ છે. જ્યારે મહાવિકાસ અઘાડી કોંગ્રેસ 21 બેઠકો પર, શિવસેના (UBT) 19 બેઠકો પર, NCP (SP) 11 બેઠકો પર આગળ છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular