Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalકેમ સામ પિત્રોડાના નિવેદનોથી વારંવાર સર્જાય છે વિવાદ?

કેમ સામ પિત્રોડાના નિવેદનોથી વારંવાર સર્જાય છે વિવાદ?

નવી દિલ્હી: ઈન્ડિયન ઓવરસીઝ કોંગ્રેસના પ્રમુખ સામ પિત્રોડાનું વારસાગત ટેક્સને લઈને નિવેદન ચર્ચામાં છે. વારસાગત ટેક્સની વકાલત કરવાના નિવેદનને કારણે ભાજપે ફરી એકવાર કોંગ્રેસ પર પ્રહારો શરૂ કર્યા છે. પરંતુ આ પહેલીવાર નથી કે જ્યારે પિત્રોડાના કોઈ નિવેદનને લઈને હોબાળો થયો હોય. તે સમયાંતરે આવા નિવેદનો આપતા રહ્યા છે. જે વિવાદાસ્પદ બની જાય છે.

84 રમખાણો: “હુઆ તો હુઆ”

2019ની લોકસભા ચૂંટણી સમયે 1984ના શીખ વિરોધી રમખાણોને લઈને પણ તેમણે વિવાદિત નિવેદન આપ્યું હતું. તે સમયે ભાજપના આરોપો હતાં કે 1984ના શીખ રમખાણો તત્કાલિન વડાપ્રધાન રાજીવ ગાંધીના કહેવાથી થયા હતા. આ આરોપોને નકારતા પિત્રોડાએ કહ્યું હતું કે, 1984માં જે કંઈ થયું તે થયું. અત્યારે 84ની શું કરવા વાત કરો છો? તમે છેલ્લાં 5 વર્ષમાં શું કર્યું તેની વાત કરો. 2019ની લોકસભા ચૂંટણી દરમિયાન તેમના “હુઆ તો હુઆ” નિવેદનને લઈને ઘણો હોબાળો થયો હતો. વડાપ્રધાન મોદીએ ફેબ્રુઆરી 2024માં સંસદમાં કહ્યું હતું કે કોંગ્રેસ પાર્ટીના એક નેતા અમેરિકામાં બેઠા છે, જે પોતાના “હુઆ તો હુઆ” નિવેદનથી લોકપ્રિય થઈ ગયા છે.મધ્યમ વર્ગે સ્વાર્થી ન બનવું જોઈએ

સામ પિત્રોડાએ એપ્રિલ 2019માં પણ આવું જ એક અન્ય વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે એક ટીવી ઈન્ટરવ્યુ દરમિયાન કહ્યું હતું કે દેશના મધ્યમ વર્ગે સ્વાર્થી ન બનવું જોઈએ અને તેમણે પાર્ટીની પ્રસ્તાવિત NYAY યોજનાને ભંડોળ આપવા માટે વધુ ટેક્સ ચૂકવવા માટે તૈયાર રહેવું જોઈએ. તેમના નિવેદને ઘણો વિવાદ ઉભો કર્યો હતો અને પાર્ટીના વરિષ્ઠ નેતાઓને ડેમેજ કંટ્રોલમાં સામેલ થવું પડ્યું હતું.

પુલવામા જેવા હુમલા થતા રહે છે

ફેબ્રુઆરી 2019માં, ભારતીય વાયુસેનાએ પુલવામા હુમલાના જવાબમાં પાકિસ્તાનના બાલાકોટમાં હવાઈ હુમલો કર્યો હતો. પરંતુ પિત્રોડાએ આ એરસ્ટ્રાઈક પર ભારત સરકારના દાવા પર સવાલ ઉઠાવ્યા હતા. તેમણે કહ્યું હતું કે પુલવામા જેવા હુમલા થતા રહે છે. હું આ હુમલાઓ વિશે વધુ જાણતો નથી. તેમણે ભારત સરકાર પાસેથી બાલાકોટ એરસ્ટ્રાઈક ઓપરેશનના પુરાવા પણ માંગ્યા હતા.

મંદિરો બનાવવાથી રોજગારી મળતી નથી

જૂન 2023માં સામ પિત્રોડાના અન્ય એક નિવેદને રાજકીય વિવાદ સર્જ્યો હતો. તેમણે કહ્યું હતું કે મંદિરોથી ભારતની બેરોજગારી, શિક્ષણ અને સ્વાસ્થ્ય જેવી સમસ્યાઓનો ઉકેલ નહીં આવે. આપણા દેશમાં બેરોજગારી, મોંઘવારી અને શિક્ષણ જેવી સમસ્યાઓ છે. તેમના વિશે કોઈ વાત કરતું નથી. પરંતુ કેટલાક લોકો રામ, હનુમાન અને મંદિરોની વાત કરે છે. પિત્રોડાએ અમેરિકામાં રાહુલ ગાંધીની હાજરીમાં આ નિવેદન આપ્યું હતું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular