Wednesday, May 21, 2025
Google search engine
HomeNewsNational14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવામાં આવી, જાણો કેમ ?

14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિઓ હટાવવામાં આવી, જાણો કેમ ?

ઉત્તર પ્રદેશના વારાણસીના મંદિરોમાં સ્થાપિત સાંઈની મૂર્તિને લઈને ઝઘડો થયો છે. અત્યાર સુધી 14 મંદિરોમાંથી સાંઈની મૂર્તિ હટાવવામાં આવી છે. પ્રખ્યાત બડા ગણેશ મંદિરમાંથી પણ સાંઈની મૂર્તિ હટાવી દેવામાં આવી છે. મળતી માહિતી મુજબ, આ કામ સનાતન રક્ષક સેનાના અજય શર્માના નેતૃત્વમાં થઈ રહ્યું છે.

મળતી માહિતી મુજબ હિન્દુ સંગઠનોના નિશાના પર વધુ 28 મંદિર છે. હિન્દુ સંગઠનોનો આરોપ છે કે સાઈ મુસ્લિમ છે. તેમનો સનાતન ધર્મ સાથે કોઈ સંબંધ નથી, તેથી જ પ્રતિમા હટાવવામાં આવી રહી છે. સંગઠનોનું કહેવું છે કે તેઓ સાંઈ પૂજાની વિરુદ્ધ નથી પરંતુ મંદિરોમાં મૂર્તિઓ સ્થાપિત કરવા દેશે નહીં.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular