Friday, May 23, 2025
Google search engine
HomeNewsGujaratપાવાગઢમાં 5થી 10 ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે

પાવાગઢમાં 5થી 10 ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રહેશે

પાવાગઢ મંદિરે જતા માઈભક્તો માટે મહત્વના સમાચાર છે. તેમાં પાવાગઢમાં 6 દિવસ માટે રોપ-વે સેવા બંધ રહેશે. જેમાં 5થી 10 ઓગષ્ટ સુધી રોપ-વે સેવા બંધ રાખવામાં આવશે. તેમાં મેઈન્ટેનન્સની કામગીરીને ધ્યાને રાખી આ નિર્ણય લેવામાં આવ્યો છે.

પંચમહાલ જિલ્લાના પાવાગઢમાં આવેલી શક્તિપીઠ મહાકાળી મંદિરે લાખોની સંખ્યામાં ભક્તો દર્શનાર્થે ઊમટી પડે છે. વૃદ્ધો, વડીલો, અને નાનાં બાળકો મંદિર સુધી પહોંચવા રોપ વેની વ્યવસ્થા કરવામાં આવી છે. ત્યારે હવે શ્રાવણ મહિના પહેલા છ દિવસ મેન્ટેનન્સને કારણે માચીથી મંદિર વચ્ચે ઊભી કરવામાં આવેલી રોપ વે સુવિધા બંધ રહેશે.આગામી 5મી ઓગસ્ટથી 10મી ઓગસ્ટ દરમિયાન મેન્ટેનન્સને કારણે મહાકાળી મંદિરે પહોંચવા રોપ વે સુવિધા બંધ રાખવામાં આવી છે. અને 11મી ઓગસ્ટથી રોપ-વે સુવિધા રાબેતા મુજબ શરૂ કરી દેવામાં આવશે. માચીથી ડુંગર સુધીની યાત્રા પગપાળા અને રોપ વે દ્વારા કરવામાં આવે છે. ત્યારે આગામી શ્રાવણ સુદ એકમ એટલે કે શ્રાવણ મહિના પહેલા દિવસથી શ્રાવણ સુદ છઠ સુધી યાત્રાળુઓ માટે રોપ-વે સેવા બંધ રહેશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular