Friday, May 16, 2025
Google search engine
HomeNewsEntertainmentધનુષે 20 વર્ષ પછી છૂટાછેડા લીધા, રજનીકાંતની પુત્રી સાથે કર્યા હતા લગ્ન

ધનુષે 20 વર્ષ પછી છૂટાછેડા લીધા, રજનીકાંતની પુત્રી સાથે કર્યા હતા લગ્ન

તમિલ અભિનેતા અને સાઉથ સુપરસ્ટાર ધનુષે છૂટાછેડા લીધા છે. ધનુષે 20 વર્ષ પહેલા ઐશ્વર્યા રજનીકાંત સાથે લગ્ન કર્યા હતા. સન ટીવીના અહેવાલો અનુસાર, ચેન્નાઈ ફેમિલી વેલ્ફેર કોર્ટે બંનેને છૂટાછેડાની મંજૂરી આપી દીધી છે. બંને લગભગ 2 વર્ષથી અલગ રહેતા હતા. આ પહેલા આ છૂટાછેડાના કેસની ત્રણ વખત સુનાવણી થઈ ચૂકી છે. જો કે, ધનુષ અને ઐશ્વર્યા રજનીકાંત બંને આ સુનાવણી સત્રોમાં હાજર રહ્યા ન હતા. હવે આખરે બંનેના છૂટાછેડા થઈ ગયા છે.

લગભગ 2 વર્ષ પહેલા ધનુષે તેની સોશિયલ મીડિયા પોસ્ટમાં પત્ની ઐશ્વર્યાથી અલગ થવાના સમાચાર શેર કર્યા હતા. ધનુષે Xની પોસ્ટમાં લખ્યું હતું, ‘મિત્રો, પ્રેમીઓ અને માતા-પિતા, 18 વર્ષની આ સફર શાનદાર રહી છે. પરંતુ આજે સમય આવી ગયો છે કે આપણે અલગ-અલગ માર્ગો અપનાવીએ.’ ઐશ્વર્યાએ પણ ધનુષ સાથે આવી જ એક પોસ્ટ શેર કરી હતી.

ધનુષે વર્ષ 2002માં ફિલ્મ ‘થુલ્લુવધો ઈલામાઈ’થી પોતાના કરિયરની શરૂઆત કરી હતી. ધનુષે માત્ર 2 વર્ષમાં ઘણું નામ કમાઈ લીધું હતું. ઐશ્વર્યાએ પોતે ઈન્ટરવ્યુમાં જણાવ્યું હતું કે ધનુષની ફિલ્મ ‘કાધલ કોંડે’ 2003માં રિલીઝ થઈ હતી. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતની દીકરી ઐશ્વર્યા પણ આ ફિલ્મ જોવા પહોંચી હતી. ઐશ્વર્યાને આ ફિલ્મ ખૂબ જ પસંદ આવી હતી. ઐશ્વર્યાએ જઈને ધનુષના વખાણ કર્યા. આ પછી બંને મિત્રો બની ગયા. તેમની મિત્રતા પ્રેમમાં બદલાઈ ગઈ અને 2004માં તેઓએ લગ્ન કરી લીધા. લગ્ન સમયે ધનુષની ઉંમર માત્ર 23 વર્ષની હતી અને ઐશ્વર્યા માત્ર 21 વર્ષની હતી. ધનુષ પોતે દિગ્દર્શક કસ્તુરિયા રાજાનો પુત્ર છે. બંનેને 2 બાળકો, 1 પુત્ર અને 1 પુત્રી છે.

ધનુષ નયનતારા સાથે પણ વિવાદમાં છે
પુત્રીના છૂટાછેડા વચ્ચે રજનીકાંતના ચાહકોએ તેમને સમર્થન આપ્યું છે. ચાહકોએ સોશિયલ મીડિયા પર પણ પોતાનો પ્રેમ મોકલ્યો છે. ધનુષ છેલ્લા કેટલાક દિવસોથી હેડલાઇન્સમાં છે. લેડી સુપરસ્ટાર તરીકે જાણીતી સાઉથની અભિનેત્રી નયનતારા સાથે પણ ધનુષનો વિવાદ ચાલી રહ્યો છે. બુધવારે ધનુષે નયનતારા વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે. અગાઉ નોટિસ પણ મોકલવામાં આવી હતી. આ સમગ્ર વિવાદને નયનતારાએ તેના ઈન્સ્ટાગ્રામ પર શેર કર્યો હતો. જેમાં નયનતારાએ કહ્યું હતું કે તેણે માત્ર 3 સેકન્ડના ફૂટેજનો ઉપયોગ કરવા બદલ 10 કરોડ રૂપિયાની માંગણી કરી છે. નયનતારાના જીવન પર આધારિત ફિલ્મ ‘નયનતારાઃ બિયોન્ડ ધ ફેરીટેલ’માં આ ક્લિપનો ઉપયોગ કરવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular