Monday, June 9, 2025
Google search engine
HomeNewsNationalસિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કરીમ ટુંડા નિર્દોષ જાહેર

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં કરીમ ટુંડા નિર્દોષ જાહેર

અજમેરની ટાડા કોર્ટે સીરીયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો છે. જ્યારે ઈરફાન અને હમીમુદ્દીનને દોષિત જાહેર કરવામાં આવ્યા છે. સીરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં લગભગ 30 વર્ષ બાદ કોર્ટે પોતાનો ચુકાદો આપ્યો છે. સેંકડો સાક્ષીઓ, પુરાવાઓ અને વર્ષોની ચર્ચા પછી, અજમેરની ટાડા કોર્ટના ન્યાયાધીશ મહાવીર પ્રસાદ ગુપ્તાએ પોતાનો ચુકાદો આપતાં આતંકવાદી અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કર્યો. અબ્દુલ કરીમ ટુંડાના એડવોકેટ શફકત સુલતાનીએ જણાવ્યું હતું કે સીબીઆઈ કોર્ટ દ્વારા કરવામાં આવેલા આરોપોને કોર્ટે સ્વીકાર્યા નથી અને કરીમને નિર્દોષ છોડી મૂક્યો છે. અન્ય બે આરોપી ઈરફાન અને હમીમુદ્દીનને કોર્ટે દોષિત ઠેરવ્યા છે અને તેમને આજીવન કેદની સજા ફટકારી છે.

સિરિયલ બોમ્બ બ્લાસ્ટ કેસમાં આજના નિર્ણયને લઈને સવારથી જ ભારે ઉત્તેજનાનો માહોલ હતો. ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે પોલીસની ટીમ આતંકવાદીઓ કરીમ ટુંડા, હમીદુદ્દીન અને ઈરફાન સાથે ટાડા કોર્ટ પહોંચી હતી. આતંકવાદીઓની સુરક્ષા માટે ટાડા કોર્ટની બહાર પણ કડક સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે.

6 ડિસેમ્બર 1993ના રોજ અયોધ્યામાં બાબરી મસ્જિદના ધ્વંસ બાદ કોટા, લખનૌ, કાનપુર, હૈદરાબાદ, સુરત અને મુંબઈની ટ્રેનોમાં શ્રેણીબદ્ધ બોમ્બ વિસ્ફોટ થયા હતા. 28 ફેબ્રુઆરી 2004ના રોજ ટાડા કોર્ટે આ કેસમાં 16 આરોપીઓને આજીવન કેદની સજા ફટકારી હતી. જેમાં સુપ્રીમ કોર્ટે ચાર આરોપીઓને નિર્દોષ જાહેર કર્યા હતા અને બાકીના આરોપીઓની સજા પુનઃસ્થાપિત કરી હતી, જેઓ જયપુર જેલમાં બંધ છે.ટાડા કોર્ટના જજ મહાવીર પ્રસાદ ગુપ્તાએ અબ્દુલ કરીમ ટુંડા, હમીદુદ્દીન અને ઈરફાન અહેમદ વિરુદ્ધ પોતાનો ચુકાદો આપ્યો હતો. જેમાં અબ્દુલ કરીમ ટુંડાને નિર્દોષ જાહેર કરવામાં આવ્યા છે. હમીદુદ્દીન અને ઈરફાન પર આંધ્રપ્રદેશ, યુપી, ગુજરાત, રાજસ્થાન અને મહારાષ્ટ્રના શહેરોમાં બોમ્બ વિસ્ફોટ કરવાનો આરોપ હતો. તે જ સમયે, અબ્દુલ કરીમ ટુંડા પર કેસનો માસ્ટરમાઈન્ડ હોવાનો આરોપ મૂકવામાં આવ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular