Wednesday, October 8, 2025
Google search engine
HomeNewsGujaratજામનગરના લાલપુરમાં ફસાયેલા 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

જામનગરના લાલપુરમાં ફસાયેલા 11 લોકોનું હેલિકોપ્ટરથી રેસ્ક્યુ

જામનગર: લાલપુરમાંથી હેલિકોપ્ટર દ્વારા 11 લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું છે. નવાગામ વાડી વિસ્તારમાં આ 11 લોકો ફસાયા હતા. સ્થાનિકોએ અધિકારીઓને જાણ કરી હતી. જેમાં અધિકારીઓએ હેલિકોપ્ટર બોલાવી 11 લોકોને રેસ્ક્યુ કર્યા હતા. જેમાં બાળકો અને મહિલાઓનો પણ સમાવેશ થાય છે.

લાલપુરના પ્રાંત અધિકારી સહિતની ટીમે સ્થિતિની ગંભીરતા સમજી સતર્કતા દાખવી આ તમામ લોકોને રેસ્ક્યુ કરવા એરફોર્સના હેલિકોપ્ટરથી વ્યવસ્થા કરી હતી. પાણીમાં ફસાયેલા તમામને હેલિકોપ્ટરની તાત્કાલિક મદદ મળતા તેઓને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું અને જીવનું જોખમ ટળ્યું હતુ. જામનગર જિલ્લામાં છેલ્લા દિવસોમાં પડેલા અનરાધાર વરસાદના કારણે જ્યાં જુઓ ત્યાં જળ જેવી સ્થિતિ નિર્માણ થયું છે. તાત્કાલિક મદદ મળતા આ લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવાનું શક્ય બન્યું.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular