Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalનિતિશ રાણેના 'બુર્ખા બૅન' વાળા નિવેદન પર પ્યારે ખાનનો વળતો જવાબ

નિતિશ રાણેના ‘બુર્ખા બૅન’ વાળા નિવેદન પર પ્યારે ખાનનો વળતો જવાબ

મહારાષ્ટ્રના મંત્રી નિતેશ રાણે દ્વારા 10મા અને 12મા ધોરણની બોર્ડ પરીક્ષાઓ દરમિયાન બુરખા પહેરવા પર પ્રતિબંધ મૂકવા અંગે આપેલા નિવેદનને કારણે રાજ્યનું રાજકારણ ફરી એકવાર ગરમાયું છે. નિતેશ રાણેએ આ મુદ્દા અંગે શાળા શિક્ષણ મંત્રી દાદા ભૂસેને પત્ર લખ્યો હતો, જેમાં તેમણે કહ્યું હતું કે પરીક્ષા કેન્દ્રો પર બુરખો પહેરવાથી સુરક્ષા અને છેતરપિંડી સંબંધિત સમસ્યાઓ થઈ શકે છે.

નિતેશ રાણેએ કહ્યું કે ધોરણ 10 અને 12 ની બોર્ડ પરીક્ષા આપતી છોકરીઓને બુરખો પહેરવાની મંજૂરી આપવી જોઈએ નહીં અને જો જરૂરી હોય તો, ચેકિંગ માટે મહિલા પોલીસ અધિકારીઓ અથવા મહિલા સ્ટાફની નિમણૂક કરવી જોઈએ. જો પરીક્ષાર્થીઓને બુરખો પહેરવાની મંજૂરી આપવામાં આવે, તો એ શોધવું મુશ્કેલ બનશે કે છેતરપિંડી માટે ઇલેક્ટ્રોનિક ઉપકરણો કે અન્ય માધ્યમોનો ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં.

નિતેશ રાણેના આ નિવેદન પર પ્રતિક્રિયા આપતા મહારાષ્ટ્ર લઘુમતી આયોગના અધ્યક્ષ પ્યારે ખાને કહ્યું કે આવા નિવેદનો સરકારની છબીને કલંકિત કરે છે. તેમણે રાણેને કહ્યું કે આવા બેજવાબદાર નિવેદનોથી બચવું જોઈએ. પ્યારે ખાને કહ્યું કે શિક્ષણ વિભાગમાં એવો કોઈ નિયમ કે કાયદો નથી કે તમારે આ કે તે પહેરીને આવવું જોઈએ. તેમણે કહ્યું કે જો કોઈના પોશાકમાં સમસ્યા હોય તો શીખ સમુદાય પણ પાઘડી પહેરે છે, જો એવું લાગે કે બુરખાને કારણે છેતરપિંડી થઈ શકે છે, તો સરકાર દ્વારા ત્યાં સ્કેનર્સ લગાવી શકાય છે, જે રીતે એરપોર્ટ પર વ્યવસ્થા છે. તેમણે કહ્યું કે કોઈપણ વ્યક્તિ કોઈપણ પ્રકારના કપડાં પહેરી શકે છે, તેમાં કોઈ મજબૂરી નથી.

RSS વડાના નિવેદનનો ઉલ્લેખ કર્યો

પ્યારે ખાને રાણેને એ પણ યાદ અપાવ્યું કે RSS વડા મોહન ભાગવતે તાજેતરમાં કહ્યું હતું કે હિન્દુ નેતા બનવા માટે મંદિર-મસ્જિદના મુદ્દા ઉઠાવવાને બદલે કામ કરવું પડશે. આ ટિપ્પણી કરતી વખતે પ્યારે ખાને રાણેને અરીસો બતાવ્યો અને કહ્યું કે ફક્ત ભાષણો આપવાથી વ્યક્તિ નેતા બનતો નથી, નેતા બનવા માટે કામ કરવું પડે છે.

મહારાષ્ટ્રના વિકાસ પર ભાર

પ્યારે ખાને કહ્યું કે વડા પ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસના નેતૃત્વમાં મહારાષ્ટ્ર વિકાસ તરફ આગળ વધી રહ્યું છે. તેમણે કહ્યું કે વડા પ્રધાન મોદીએ મુસ્લિમ સમુદાય માટે 15-મુદ્દાનો કાર્યક્રમ શરૂ કર્યો છે, જે સબકા સાથ, સબકા વિકાસ હેઠળ કામ કરી રહ્યો છે. ખાને એમ પણ કહ્યું કે મુસ્લિમ સમુદાય સમજી ગયો છે કે ખરેખર કયા પક્ષે વિકાસ કાર્ય કર્યું છે. રાણેના નિવેદન અંગે તેમણે કહ્યું કે આ પ્રકારનું નિવેદન સરકારને બદનામ કરવાનું કાવતરું છે, કેટલાક લોકોના નિવેદનોનો કોઈ પ્રભાવ પડવાનો નથી.

રાણેને આવા નિવેદનોથી દૂર રહેવા અપીલ

પ્યારે ખાને નિતેશ રાણેને અપીલ કરી કે તેઓ એવા નિવેદનો આપવાનું ટાળે જેનાથી બંને વચ્ચે અંતર વધે. તેમણે કહ્યું કે નિતેશ રાણેએ આવા બેજવાબદાર નિવેદનો ટાળવા જોઈએ, તે મહારાષ્ટ્રના વિકાસને શોભે નહીં. નિતેશ રાણે એક જવાબદાર પદ ધરાવે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular