અમદાવાદ: ઓવર સ્પીડમાં ગાડી ન ચલાવવા જેવી નાનકડી ઘટનામાં એક યુવાનનો જીવ લઈ લીધો હોવાની વાતે સમગ્ર શહેરને સ્તબ્ધ કરી દીધું હતું. તે બોપલ હત્યાકાંડના આરોપની ઓળખ થઈ ગઈ હોવાની માહિતી સામે આવી છે. MICAના વિદ્યાર્થી પ્રિયાંશુ જૈનની હત્યા ખુદ પોલીસ કોન્સ્ટેબલ તરીકે કાર્યરત વિરેન્દ્રસિંહ પઢિયાર કરી હોવાનું જાણવા મળ્યું છે. પોલીસને મળેલી માહિતીના આધારે આરોપીની ધરપકડ પંજાબથી કરવામાં આવી છે. વધુ વિગતો આરોપી પોલીસ કસ્ટડીમાં આવ્યા બાદ જ સામે આવશે.શેલાની માઇકા ઈન્સ્ટિટ્યુટમાં M.B.A.ના બીજા વર્ષમાં અભ્યાસ કરતા યુવક પ્રિયાંશુ જૈનની હત્યાના કેસમાં પોલીસે આરોપીઓનો સ્કેચ જાહેર કર્યો હતો. જેના 24 કલાકમાં જ આરોપીની ધરપકડ કરી લેવાઈ છે. આરોપી સરખેજ પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા વિરેન્દ્રસિંહ પઢિયાર નામનો પોલીસકર્મી છે. જે હત્યા કરીને પંજાબ ભાગી ગયો હતો. અમદાવાદ ક્રાઇમ બાંચે વિરેન્દ્રસિંહ પઢિયારને ઝડપી પાડ્યો છે. મળી રહેલી પ્રાથમિક માહિતી અનુસાર પોલીસકર્મીએ દારૂના નશામાં હત્યા કરી હોવાનું જાણવા મળ્યું છે.
ઉત્તર પ્રદેશના મેરઠના વતની 23 વર્ષીય પ્રિયાંશુ જૈન શેલાની માઇકા કોલેજમાં એમબીએના બીજા વર્ષમાં અભ્યાસ કરતો હતો. રવિવારે રાતે આઠ વાગે પ્રિયાંશુ અને તેની સાથે અભ્યાસ કરતા પૃથ્વીરાજ મહાપાત્રા નામના યુવકને કોલેજમાં ઇન્ટરવ્યૂ હતો. આ કારણસર તેઓ કપડા સીવડાવવા બોપલમાં સરકારી ટ્યુબવેલ પાસે આવેલા એક ટેલરને ત્યાં શૂટનું માપ આપવા ગયા હતા. ત્યાર પછી રાતે જમીને રાતના સાડા દસ વાગે હોસ્ટેલ પરત આવી રહ્યા હતા, ત્યારે રેઇન ફોરેસ્ટ ચાર રસ્તા પાસે વળાંક લેતા સમયે પૂરઝડપે એક કાર પસાર થઇ હતી. જેથી પ્રિયાંશુએ તેને વાહન સરખું ચલાવવાનું કહ્યું હતું અને બંને વચ્ચે બોલાચાલી થઈ હતી. આ બાબતે ગુસ્સે થઈને કારચાલકે તેને એક સાથે બે છરીથી યુવકને ઘા ઝીંકી દીધા હતા. બાદમાં પ્રિયાંશુ જૈનનો મિત્ર પૃથ્વીરાજ તેને સારવાર માટે બોપલની એક ખાનગી હોસ્પિટલ લઈ ગયો હતો, જ્યાં તેનું સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું.
પોલીસ કોન્સ્ટેબલે જ કરી હતી MICAના વિદ્યાર્થીની હત્યા, પંજાબથી ધરપકડ
RELATED ARTICLES