Sunday, July 13, 2025
Google search engine
HomeNewsMumbaiમુંબઈ: 'ઝરૂખો' કાર્યક્રમમાં વરિષ્ઠ કવિ વિનોદ જોશીનું કાવ્યપઠન અને ગોષ્ઠિ

મુંબઈ: ‘ઝરૂખો’ કાર્યક્રમમાં વરિષ્ઠ કવિ વિનોદ જોશીનું કાવ્યપઠન અને ગોષ્ઠિ

મુંબઈ: ગુજરાતી સાહિત્યને જાળવી રાખવા અને તેને વધુમાં વધુ લોકો સુધી પહોંચાડવાના હેતુસાથે મુંબઈમાં અનેક કાર્યક્રમોનું આયોજન થતું હોય છે. બોરીવલીમાં સાહિત્ય કાર્યક્રમ ‘ઝરુખો’ યોજાતો હોય છે.

બોરીવલીના સાઈલીલા વૅલફેર ટ્રસ્ટની સાહિત્યિક સાંજ ‘ ઝરૂખો ‘ કાર્યક્રમનું આયોજન આ વખતે તહેવારોના કારણે 4 સપ્ટેમ્બર બુધવારે કરવામાં આવ્યું છે. ગુજરાતી ગીતોના સર્જનમાં જેમનાં ગીતો એક આગવા પડાવ તરીકે ઓળખાય છે એવા વરિષ્ઠ કવિ વિનોદ જોશી સાથે ‘ સર્જકસંગત ‘ એ નામે કાર્યક્રમનું આયોજન થયું છે. કવિ વિનોદ જોશી પોતાનાં જાણીતાં તથા નવાં કાવ્યો/ ગીતો રજૂ કરશે અને ભાવકો સાથે ગોષ્ઠિ પણ કરશે.

સંજય પંડ્યાના સંચાલનમાં આ કાર્યક્રમ સાઈબાબા નગર,બોરીવલી ખાતે યોજવામાં આવ્યો છે. દરેક સાહિત્યપ્રેમી અને ઈચ્છુક વ્યક્તિ આ કાર્યક્રમમાં જોડાઈ શકે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular