Wednesday, August 6, 2025
Google search engine
HomeNewsNationalPM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી

PM મોદીએ દેશવાસીઓને હોળીની શુભેચ્છા પાઠવી

વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ શનિવારે દેશવાસીઓને રંગોના તહેવાર હોળીની શુભેચ્છા પાઠવી હતી. પીએમ મોદીએ ઈન્સ્ટાગ્રામ પર પોસ્ટ કરીને કહ્યું કે, દેશના મારા પરિવારના તમામ સભ્યોને હોળીની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. સ્નેહ અને સંવાદિતાના રંગોથી શણગારવામાં આવેલ આ પરંપરાગત તહેવાર તમારા બધાના જીવનમાં નવી ઉર્જા અને નવો ઉત્સાહ લાવે.

 

હોળી વિશે શું માન્યતા છે?

એવું માનવામાં આવે છે કે આ દિવસે રાક્ષસી હોલિકાનો અંત આવ્યો હતો, જે અનિષ્ટનું પ્રતીક છે અને ભગવાન વિષ્ણુના ભક્ત પ્રહલાદનું જીવન બચી ગયું હતું, જે સારા અને સત્યનું પ્રતીક માનવામાં આવે છે. ત્યારથી હોળીકા દહન દર વર્ષે હોળીના એક દિવસ પહેલા કરવામાં આવે છે, જેમાં પોતાની અંદરની તમામ બુરાઈઓને પ્રતીકાત્મક રીતે બાળવામાં આવે છે. એટલા માટે લોકો ખુલ્લી જગ્યાઓ પર હોલિકા બાળે છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular