Monday, July 28, 2025
Google search engine
HomeNewsGujaratPM મોદીએ નવા મંત્રીઓને આપ્યા કડક આદેશ

PM મોદીએ નવા મંત્રીઓને આપ્યા કડક આદેશ

સરકાર તરીકે બીજી વખતનો ચાર્જ સંભાળતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલની સરકાર હવે એક્શનમાં મોડમાં આવી ગઈ છે. આજે તમામ મંત્રીઓએ શપથ પણ લઈ લીધાં છે અને વિધાનસભાના નવા અધ્યક્ષ અને ઉપાધ્યક્ષની પણ નિમણૂંક કરવામાં આવી ગઈ છે. એક્શન મોડમાં આવતાની સાથે જ ભૂપેન્દ્ર પટેલ સરકારે નવા મંત્રીઓના ક્લાસ લેવાના શરૂ કરી દીધા છે. ખુદ વડાપ્રધાન મોદીએ તમામ મંત્રીઓને સચિવાલયમાં હાજર રહેવાની સૂચના આપી દીધી છે.વિધાનસભા સત્ર આવતીકાલે યોજાવાનું છે. ત્યારે આ પહેલા ભાજપના નવા ધારાસભ્યોની બેઠક યોજાઈ હતી. આ બેઠકમાં પ્રમોટર સ્પીકર વડોદરા માંજલપુરના યોગેશ પટેલ પ્રોટેમ સ્પીકર તરીકે શપથ ગ્રહણ કરાવ્યાં હતા. ગુજરાત વિધાનસભાની ચૂંટણી બાદ હવે ભાજપના નેતાઓએ પોતાનો કાર્યભાર સંભાળી કામગીરી શરુ કરી દીધી છે.

તમામ મંત્રીઓ સોમથી શુક્ર સચિવાલયમાં હાજર રહેવા ફરમાન

આજે નવા ચૂંટાયેલા ધારાસભ્યોની શપથ વિધી પૂર્ણ થઈ ગઈ છે, તેમજ આજે અધ્યક્ષ માટેની ચૂંટણીના આજે ફોર્મ પણ ભરાયાં છે, થરાદ વિધાનસભાના ધારાસભ્ય શંકરસિંહ ચૌધરીએ આજે અધ્યક્ષ માટેની ચૂંટણીનું ફોર્મ ભર્યુ છે અને તેમની નિમણૂંક આવતીકાલે કરવામાં આવશે. આ ઉપરાંત આવતીકાલે વિધાનસભામાં એક દિવસનું ટુંકું સત્ર પણ મળશે, તેથી વડાપ્રધાન મોદીએ લોકોના કામો ઝડપથી થાય તે માટે મંત્રીઓને સૂચના આપી છે. ભાજપ પ્રમુખ સી.આર. પાટીલે તમામ નવા મંત્રીઓને સૂચના આપી દીધી છે. હવે તમામ મંત્રીઓ સોમથી શુક્ર સચિવાલયમાં હાજર રહેશે. તેઓ શનિવાર અને રવિવાર પોતાના મત વિસ્તારમાં જઈ શકશે. તેમને અચાનક ગાંધીનગરની બહાર જવાનું થાય તો મુખ્યમંત્રીનું ધ્યાન દોરવું પડશે.

શંકર ચૌધરીએ વિધાનસભાના અધ્યક્ષ તરીકે ભર્યું ફોર્મ

આ ઉપરાંત ગુજરાત વિધાનસભા અધ્યક્ષ તરીકે શંકર ચૌધરીએ ભર્યુ ફોર્મ હતું. તો જેઠાભાઇ ભરવાડે વિધાનસભાના ઉપાધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યું હતું. આ સમયે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ, સી.આર.પાટીલ સહિત મંત્રીઓ રહ્યા ઉપસ્થિત હતા. વિધાનસભા અધ્યક્ષ તરીકે ફોર્મ ભર્યા શંકર ચૌધરીએ કહ્યું- મે અને જેઠા ભાઈ ભરવાડે ફોર્મ ભર્યું છે. આ એક સંવૈધાનિક જવાબદારી છે. આ જવાબદારી સૂપેરું પર પાડીશ. આ જવાબદારીના ઉચ્ચ મૂલ્યોને જાળવીશું તેમજ લોકશાહીને બળવત્તર બનાવવા માટે પ્રયત્ન કરીશ.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular