Thursday, October 16, 2025
Google search engine
HomeNewsGujaratપરષોત્તમ રૂપાલા રાજકોટથી 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ

પરષોત્તમ રૂપાલા રાજકોટથી 16 એપ્રિલે ભરશે ઉમેદવારી ફોર્મ

ગુજરાતમાં હાલ પરષોત્તમ રૂપાલા વિવાદ ચરમસીમાએ પહોંચ્યો છે. સમગ્ર ગુજરાતના ક્ષત્રિયો અત્યારે એકજુટ થઈ રૂપાલાનો વિરોધ કરી રહ્યા છે. અત્યારે ક્ષત્રિયોની એક જ માંગ છે રૂપાલની ટિકિટ રદ્દ કરો. આ વિવાદ એટલો વકર્યો કે છેલ્લે ક્ષત્રિયાણીઓએ જોહરની ચીમકી આપી દીધી છતાં ભાજપના પેટનું પાણી ન હલ્યું અને રૂપાલાની ટિકિટ રદ્દ કરી નહિ. હવે આ વિવાદ વચ્ચે સૌથી મોટા સમાચાર એ છે કે પરષોત્તમ રૂપાલા 16 તારીખે રાજકોથી પોતાનું ઉમેદવારી ફોર્મ ભરશે. રૂપાલા 25 હજાર જેટલી મોટી જનમેદનીને સંબોધન કરશે. અને આ જાહેર સભા માટે ભાજપે અત્યારથી જ તૈયારીઓ શરુ કરી દીધી છે. ત્યારે જોવાનું રહ્યું કે ક્ષત્રિયો આ મામલે હવે શું કરે છે.

ભાજપે શરૂ કરી તૈયારી

શહેર ભાજપે જંગી સભાને લઈને તડામાર તૈયારીઓ શરૂ કરી હતી. રાજકોટ લોકસભા મતવિસ્તારના ભાજપના અગ્રણીઓ આ સભામાં ઉપસ્થિત રહેશે. સાંસદ,ધારાસભ્યો,સંગઠનના હોદ્દેદારો પણ સભામાં હાજરી આપશે. રાજકોટ શહેર ભાજપના કોર્પોરેટરો પણ સભામાં ઉપસ્થિત રહેશે. સભાને લઈને કડક પોલીસ બંદોબસ્ત ગોઠવવામાં આવશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular