Saturday, May 17, 2025
Google search engine
HomeNewsGujaratAMA ખાતે SOUL દ્રારા ઇમર્જિંગ પરસ્પેકટીવસ ઑન ઇન્ડિક લીડરશીપ” વિષય પર પેનલ...

AMA ખાતે SOUL દ્રારા ઇમર્જિંગ પરસ્પેકટીવસ ઑન ઇન્ડિક લીડરશીપ” વિષય પર પેનલ ડિસ્કશન 

અમદાવાદ: એ.એમ.એ.ના સહયોગથી સ્કૂલ ઓફ અલ્ટિમેટ લીડરશીપ દ્રારા ‘સંવાદ’ – ઇમર્જિંગ પરસ્પેકટીવસ ઑન ઇન્ડિક લીડરશીપ” વિષય પર એક પેનલ ડિસ્કશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ એ.એમ.એ. આગામી ૨૫મી ઓક્ટોબરના રોજ સાંજે ૬:૦૦ વાગ્યાથી યોજાશે.આ પેનલ ડિસ્કશનમાં ડૉ. આર. બાલાસુબ્રમણ્યમ (મેમ્બર એચ.આર., કેપેસિટી બિલ્ડીંગ કમિશન અને ‘પાવર વિધ ઇન: ધ લીડરશીપ લેગસી ઓફ નરેન્દ્ર મોદી’ પુસ્તકનાં લેખક); ડો. હસમુખ અઢિયા (ભારત સરકારના ભૂતપૂર્વ નાણાં સચિવ અને ગુજરાતના મુખ્યમંત્રીના મુખ્ય સલાહકાર); અને શ્રી જક્ષય શાહ (સેવી ગ્રુપના સ્થાપક અને સી.એમ.ડી. અને ક્વોલિટી કાઉન્સિલ ઓફ ઈન્ડિયાના ચેરપર્સન) આ વિષય પર સંબોધન કરશે.

પેનલ ડિસ્કશનનું સંચાલન ઈન્ડિયન ઈન્સ્ટીટ્યુટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદના પ્રો. નિહારિકા વોહરા કરશે. પેનલ ડિસ્કશન ભારતીય સંદર્ભમાં નેતૃત્વ પર મૂલ્યવાન પરિપ્રેક્ષ્ય પ્રદાન કરશે. આ કાર્યક્રમ ઓપન ફોર ઓલ છે. આથી રસ ધરાવતા વ્યક્તિઓ તેમાં વિના મૂલ્યે ભાગ લઈ શકશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular