Wednesday, May 14, 2025
Google search engine
HomeNewsBusinessNSEની સામાન્ય રોકાણકારોના હિત માટે જારી સૂચના

NSEની સામાન્ય રોકાણકારોના હિત માટે જારી સૂચના

મુંબઈઃ નેશનલ સ્ટોક એક્સચેન્જ (NSE)ની જાણમાં આવ્યું છે કે અનાયશા પાટિલ નામની બેઇમાન વ્યક્તિ ખુદને એક્સચેન્જનો જનરલ મેનેજર હોવાનો દાવો કરી રહી છે, જેનો મોબાઇલ નંબર 62671 78479 છે અને જેનું ઇમેઇલ ID national.financial.awareness@gmail.com” છે. તે વ્યક્તિ એક્સચેન્જના નામનો દુરુપયોગ કરી રહી છે અને તે “National Financial Awareness Academy”નું પ્રતિનિધિત્વ કરી રહી હોવાનો દાવો કરે છે, જે ખોટું છે. આ વ્યક્તિ NSEના નામનો અને લોગાનો પણ જાણીબૂજીને દુરુપયોગ કરી રહી છે. આ વ્યક્તિએ રાજકોટ જિલ્લાના ધોરાજી ખાતે આવેલી સરકારી ITIની સાથે મળીને રોકાણકાર જાગરુકતા કાર્યક્રમ આયોજિત કરવાની યોજના બનાવી છે.એક્સચેન્જ દ્વારા જાણ કરવામાં આવે છે ઉપરના ઠગબાજથી સામાન્ય જનતાએ દૂર રહેવું, કેમ કે એક્સચેન્જ પ્રત્યક્ષ કે અપ્રત્યક્ષ રીતે એના કોઈ પણ જાતના કાર્યક્રમ કે યોજના સાથે સંકળાયેલું નથી અને એક્સચેન્જ એને કોઈ પણ પ્રકારની આવી પ્રવૃત્તિને પ્રોત્સાહન આપતું નથી.

એક્સચેન્જ સામાન્ય જનતાને એ વાત પર સાવચેત કરે છે કે તેની સાથે (એક્સચેન્જની જાણ બહારના) કોઈ પણ પ્રકારના સેશનમાં કે એના જેવાં અન્ય કાર્યક્રમોમાં ભાગ લેવું જોખમકારક છે. આ સાથે એક્સચેન્જ આ માટે કોઈ પણ પ્રકારના દાવા, કાર્યવાહી, વિવાદ, મતભેદ વગેરે માટે કોઈ પણ રીતે જવાબદાર કે જવાબ આપવા બંધાયેલું નથી. તે વ્યક્તિ સાથે કે એક્સચેન્જની જાણ બહારના કાર્યક્રમ કે સેશન સામે NSE આવી વ્યક્તિઓ વિરુદ્ધ ઉચિત કાયદેસરની કાર્યવાહી પણ કરશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular