Tuesday, August 26, 2025
Google search engine
HomeNewsGujaratખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ પ્રભુતામાં પગલા પાડ્યા

ખજૂરભાઈ તરીકે જાણીતા નીતિન જાનીએ પ્રભુતામાં પગલા પાડ્યા

ખજૂર ભાઈ સેલીબ્રિટીની જેમ લગ્ન કરવા માંગતા ન હતા જેથી સાદગીથી લગ્નનું આયોજન કરવામાં આવ્યું છે.  નીતિન જાનીના લગ્નની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ છે. ત્યારે લોકો તેમના પર શુભેચ્છાનો વરસાદ કરી રહ્યા છે.  ખજૂર ભાઈ અને મીનાક્ષી દવે રીતી રિવાજ મુજબ 8 ડિસેમ્બરના રોજ લગ્ન કર્યા છે. પહેલા લોકોના હાસ્યનું મનોરંજન બનેલા નીતિન જાનીએ હવે પોતાના સેવા કાર્યોથી લોકપ્રિયતા મેળવી છે.

 

ખજૂરભાઈની સગાઈ થઈ ગયા બાદ બધા તેમના લગ્નની રાહ જોઈ રહ્યા હતા. ત્યારે ગઈ કાલે ખજૂર ભાઈ મીનાક્ષી દવે લગ્નના બંધનમાં બંધાઈ ગયા છે.આજથી ઘણા સમય પહેલા ખજૂર ભાઈની સગાઈ મીનાક્ષી દવે સાથે થઈ હતી. જ્યારે તેમની સગાઈ થઈ ત્યારે તેમના સગાઈના ફોટા સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થયા હતા. અને આ જોડીને લોકો ખૂબ જ પસંદ પણ કરી રહ્યા છે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular