Thursday, July 31, 2025
Google search engine
HomeNewsNationalNEET પરીક્ષામાં ગેરરીતિઓ પર મોટી કાર્યવાહી

NEET પરીક્ષામાં ગેરરીતિઓ પર મોટી કાર્યવાહી

NEET પરીક્ષામાં ગેરરીતિઓ પર મોટી કાર્યવાહી કરવામાં આવી છે. ગુજરાતના ગોધરા શહેરની શાળાના આચાર્ય અને શિક્ષક સહિત પાંચ લોકોની ધરપકડ કરવામાં આવી છે જ્યાં NEET પરીક્ષા દરમિયાન છેતરપિંડીનો ખુલાસો થયો હતો. તેમના પર 27 ઉમેદવારોને 10 લાખ રૂપિયાની લાંચ લઈને નેશનલ એલિજિબિલિટી-કમ-એન્ટ્રન્સ ટેસ્ટ-ગ્રેજ્યુએટ (NEET-UG) પાસ કરવામાં કથિત રીતે મદદ કરવાનો આરોપ છે.

પોલીસે જણાવ્યું કે 9 મેના રોજ એફઆઈઆર નોંધવામાં આવી હતી. જેમાં ગોધરાની જય જલારામ સ્કૂલમાં NEETની પરીક્ષા દરમિયાન ગોટાળા કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો હતો. અનેક બાળકોને છેતરપિંડી કરીને પાસ કરાવવામાં આવ્યા હતા. જિલ્લા મેજિસ્ટ્રેટને ગુપ્ત માહિતી મળી હતી કે મેડિકલ કોલેજમાં એડમિશન મેળવવા માટે કેટલાક લોકો આ પ્રકારનું કામ કરી રહ્યા છે. આ પછી 5 મેના રોજ યોજાનારી પરીક્ષામાં બેસનાર ઉમેદવારોની અટકાયત કરવામાં આવી હતી.

તુષાર ભટ્ટ પાસેથી સાત લાખ રૂપિયાની રોકડ મળી

પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીએ જણાવ્યું કે હવે શાળાના આચાર્ય અને શિક્ષક સહિત 5 લોકોની ધરપકડ કરવામાં આવી છે. જેમાં તુષાર ભટ્ટ, શાળાના આચાર્ય પુરુષોત્તમ શર્મા, વડોદરાના શિક્ષણ સલાહકાર પરશુરામ રોય, તેમના સહયોગી વિભોર આનંદ અને મધ્યસ્થ આરીફ વોહરાનો સમાવેશ થાય છે. તુષાર ભટ્ટ પાસેથી સાત લાખ રૂપિયા રોકડા મળી આવ્યા છે. તે વ્યક્તિ જય જલારામ શાળામાં શિક્ષક હતો, અને શહેરમાં NEET માટે નાયબ કેન્દ્ર અધિક્ષક તરીકે નિયુક્ત થયો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular