Tuesday, June 10, 2025
Google search engine
HomeNewsEntertainmentનશો કરવા પર આ શું બોલ્યા નવાઝુદ્દીન સિદ્દીકી?

નશો કરવા પર આ શું બોલ્યા નવાઝુદ્દીન સિદ્દીકી?

મુંબઈ: નવાઝુદ્દીન સિદ્દીકી હિન્દી સિનેમાના કેટલાક પ્રતિભાશાળી અને મહેનતુ કલાકારોમાંથી એક છે. જ્યારે પણ તે સ્ક્રીન પર આવે છે, ત્યારે તે પોતાના દમદાર અભિનયથી નાનામાં નાની ભૂમિકાઓને પણ જીવંત બનાવી દે છે.આ દિવસોમાં તે તેની આગામી ફિલ્મ ‘રૌતુ કા રાઝ’ માટે ચર્ચામાં છે. આ ફિલ્મમાં તે ઈન્વેસ્ટિગેટિંગ ઓફિસરની ભૂમિકામાં જોવા મળશે. એક ઈન્ટરવ્યુમાં તેણે પોતાની ફિલ્મો અને પ્રોફેશનલ લાઈફ વિશે વાત કરી હતી. નવાઝે એ પણ જણાવ્યું કે એક સમયે તેને સ્મોકિંગની લત લાગી હતી, પરંતુ થોડા સમય પછી તેણે સ્મોકિંગ બંધ કરી દીધું.

રણવીર અલ્હાબાદિયાના પોડકાસ્ટમાં નવાઝુદ્દીને જણાવ્યું કે થોડા વર્ષો પહેલા તે એવા લોકોમાં સામેલ હતો જેમની સાથે તેને સ્મોકિંગની લત લાગી હતી. તેમણે કહ્યું- હું એવા લોકો સાથે રહેતો હતો જેઓ ખૂબ જ ફૂકંતા હતા. મને પણ તેની આદત પડી ગઈ હતી. બહુ મજા આવી હતી.હું બિલકુલ પ્રમોશન કરવા માંગતો નથી. પણ હા, મજા આવતી હતી. ફૂંક માર્યા પછી, હું વિશ્વનો મહાન અભિનેતા બની જાતો હતો.’

આ જે લોકો હતા તે મારા સમગ્ર પ્રેક્ષક હતા. હું પરફોર્મન્સ આપતો હતો. જેમ કે તે અંધયુગનું નાટક છે. તેમનું એક પાત્ર છે, અશ્વત્થામા. ક્યારેક હું અશ્વત્થામા બની જતો. ક્યારેક કર્ણ બની જતો. ક્યારેક કૃષ્ણ બની જતો. હું કલાકો અને કલાકો સુધી પ્રદર્શન કરતો. જ્યારે નશો ઉતરી જતો ત્યારે મને લાગતું કે હું ગાંડો થઈ ગયો છું. હું લૂપમાં અટવાઈ જતો. પરંતુ દરેક જણ તેને હેન્ડલ કરી શકતું નથી. નવાઝ કહે છે કે ભાંગ સ્વાસ્થ્ય માટે ખરાબ છે. મેં જે પણ નશો કર્યો દિલ્હી આવ્યા પછી કર્યો.પરંતુ પછી મેં તેને છોડી દીધું કારણ કે મને મજા આવવા લાગી હતી. મને જેમાં મજા આવવા લાગે છે તે વસ્તુ હું છોડી દઉં છું. ત્યાર બાદ એક કલાકાર બન્યો અને જીવનનો આનંદ માણવા લાગ્યો.

નવાઝુદ્દીન સિદ્દીકીના અંગત જીવન વિશે જાણવા મળ્યું. હવે વાત કરીએ પ્રોફેશનલ ફ્રન્ટની. નવાઝુદ્દીનની ફિલ્મ ‘રૌતુ કા રાજ’ 28 જૂન 2024ના રોજ OTT પ્લેટફોર્મ Zee5 પર રિલીઝ થવા જઈ રહી છે.આ ફિલ્મમાં નવાઝુદ્દીન સિદ્દીકી એક પોલીસ ઓફિસરની ભૂમિકામાં છે, જે એક મર્ડર મિસ્ટ્રી ઉકેલતો જોવા મળશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular