Saturday, June 28, 2025
Google search engine
HomeNewsNationalબુલડોઝરવાળા નિવેદન મુદ્દે યોગી, અખિલેશ સામસામે

બુલડોઝરવાળા નિવેદન મુદ્દે યોગી, અખિલેશ સામસામે

લખનૌઃ ઉત્તર પ્રદેશમાં ફરી એક વાર બુલડોઝર એક્શનને લઈને સમાજવાદી પાર્ટી અને ભાજપ આમનેસામને છે. બુલડોઝર એક્શનને લઈ અખિલેશ યાદવે યોગી પર જોરદાર હુમલો કર્યો છે. આગામી વિધાનસભા ચૂંટણીમાં ભાજપની હારનો દાવો કરતાં તેમણે કહ્યું હતું કે SPની સરકાર બનતાં બુલડોઝર ગોરખપુર તરફ વાળી દેવામાં આવશે.

બીજી બાજુ, CM યોગી આદિત્યનાથે બુલડોઝરનો ઉલ્લેખ કરતાં સમાજવાદી પાર્ટી (SP) ના વડા અખિલેશ યાદવના નિવેદન પર વળતો પ્રહાર કર્યો.  તેમણે કહ્યું હતું કે બુલડોઝર પર દરેકના હાથ ફિટ નથી થતા. બુલડોઝર ચલાવવા માટે દિલ અને દિમાગ બંનેની જરૂર હોય છે. બુલડોઝર ચલાવવાની ક્ષમતા અને પ્રતિબદ્ધતા ધરાવતા લોકો જ બુલડોઝર ચલાવી શકે છે. જેઓ તોફાનીઓ સામે નાક રગડે છે, તેઓ બુલડોઝર સામે એવી જ રીતે હારશે.

સમાજવાદી પાર્ટી  પર હુમલો ચાલુ રાખતાં તેમણે કહ્યું હતું કે અરાજકતા અને ગુંડાગીરી સપા (SP)ના DNAમાં છે, જેણે સામાજિક તાણને ફાડીને રાજ્યના લોકો માટે ઓળખની કટોકટી ઊભી કરી છે અને દરેક કામની હરાજી કરવામાં આવી હતી. તેમણે કહ્યું હતું કે તમે તેમની (SP) ક્રિયાઓ જોઈ હશે. તેમનું એક્શન એ જ છે જે અયોધ્યામાં નિષાદની પુત્રી સાથે સપાના નેતાએ કર્યું હતું. આ તેમનો ચહેરો છે. જો આપણે તેમના વાસ્તવિક કારનામા જોવા માગતા હોય તો કન્નૌજમાં બનેલી ઘટના અને નવાબ બ્રાન્ડ સમાજવાદી પાર્ટીનો અસલી ચહેરો છે.

અખિલેશની આ ટિપ્પણીનો જવાબ આપતાં તેમણે કહ્યું હતું કે જેઓ 2017 પહેલા લૂંટ ચલાવતા હતા તે ટીપુ પણ હવે સુલતાન બની ગયા છે. વર્ષો પહેલાં એક સિરિયલ ‘મુંગેરી લાલ કે સપને…’ આવી હતી. આ લોકોને જ્યારે પણ તક મળી ત્યારે તેઓ યુવાનોના ભવિષ્ય સાથે રમતા હતા.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular