Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalયસ બેન્ક કટોકટીમાં ભગવાનના પૈસા પણ સલવાયા છે

યસ બેન્ક કટોકટીમાં ભગવાનના પૈસા પણ સલવાયા છે

ભુવનેશ્વરઃ યસ બેન્કની કટોકટીમાં ભગવાન જગન્નાથના રૂ. 545 કરોડ સલવાયા છે. રોકડની અછતનો સામનો કરી રહેલી ઓરિસ્સા સરકારે પર ભગવાન જગન્નાથ મંદિરના રૂ. 545 કરોડ યસ બેન્કમાં જમા કરાવ્યા છેના વિરોધ પક્ષોના હુમલામાં ઘેરાઈ ગઈ છે, જેથી રાજ્ય સરકારે કેન્દ્ર સરકાર પાસે મદદ માગી છે. ઓરિસ્સા સરકારે કેન્દ્ર સરકારના શ્રદ્ધાળુઓનાં હિતમાં યસ બેન્કના ખાતામાંથી ભગવાન જગન્નાથના આ રૂપિયા છૂટા કરાવવા માટે હસ્તક્ષેપ કરવા આગ્રહ કર્યો છે.

ઓરિસ્સાના નાણાપ્રધાન નિરંજન પુરીએ કેન્દ્રીય નાણાપ્રધાન નિર્મલા સીતારામનને આ વિશે પત્ર લખ્યો છે. તેમણે કેન્દ્રીય નાણાપ્રધાનને આગ્રહ કર્યો છે કે તેઓ આ પૈસા કઢાવવા માટે રિઝર્વ બેન્કને ઉચિત નિર્દેશ જારી કરે.

આ પત્રમાં નિરંજને કહ્યું છે કે પુરીમાં શ્રી જગન્નાથ મંદિરથી જોડાયેલા વિવિધ ફંડનું સંચાલન શ્રી જગન્નાથ મંદિરની સમિતિ કરે છે. આ ફંડમાં રૂ. 545 કરોડ ટીડીઆર તરીકે યસ બેન્કમાં જમા કરાવવામાં આવ્યા હતા. જે આ મહિને પૂરા થવાના છે.

ઓડિશાના નાણાપ્રધાને કેન્દ્રને જણાવ્યું હતું કે રિઝર્વ બેન્ક દ્વારા રૂ. 50,000થી વધુ રકમ કાઢવા પર પ્રતિબંધ લગાવાતાં આ પૈસા ફસાઈ ગયા છે. ભગવાન શ્રી જગન્નાથના ભક્તો માટે આ પૈસાનું ધાર્મિક મહત્ત્વને ધ્યાનમાં રાખતાં એને રિલીઝ કરવા માટે રિઝર્વ બેન્કને નિર્દેશ આપવામાં આવે. જોકે કેન્દ્ર સરકારે આ પત્રનો કોઈ જવાબ આપ્યો નથી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular