Wednesday, July 16, 2025
Google search engine
HomeNewsMumbaiશું ઉદ્ધવ ઠાકરે ભાજપની સાથે નવું ગઠબંધન બનાવશે?

શું ઉદ્ધવ ઠાકરે ભાજપની સાથે નવું ગઠબંધન બનાવશે?

મુંબઈઃ મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી નજીક છે, ત્યારે એક નિવેદને રાજ્યના રાજકારણમાં ખળભળાટ મચાવ્યો છે અને સવાલ ઊભા થયા છે કે શું ઉદ્ધવ ઠાકરે ફરી એક વાર ભાજપની સાથે ગઠબંધન કરશે?

મહારાષ્ટ્ર વિધાનસભા ચૂંટણીમાં મુખ્ય મુકાબલો મહાયુતિ અને મહાવિકાસ આઘાડી વચ્ચે છે. વંચિત બહુજન અઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે દાવો કર્યો છે કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (શિવસેના UBT) સ્પષ્ટપણે ભાજપ સાથે જોડાયેલી હોય તેવું લાગે છે.રાજ્યના વાશિમમાં પત્રકારો સાથે વાત કરતાં વંચિત બહુજન અઘાડી (VBA)ના પ્રમુખ પ્રકાશ આંબેડકરે કહ્યું હતું કે ઉદ્ધવ ઠાકરેની શિવસેના (શિવસેના UBT) સ્પષ્ટપણે ભાજપ સાથે જોડાયેલી હોય તેવું લાગે છે. તેણે તે શરતો જાહેર કરવી જોઈએ કે જેના પર તે પોતાનું સમર્થન આપી રહ્યો છે. જ્યારે વકફ સુધારો બિલ સંસદમાં રજૂ કરવામાં આવ્યું ત્યારે ઉદ્ધવ ઠાકરેના સહયોગીઓ તેનો વિરોધ કરવા સંસદમાં હાજર ન હતા.

વળી, ઠાકરે યવતમાળ પહોંચ્યા ત્યારે સરકારી અધિકારીઓએ તેમની બેગ તપાસી હતી. પૂર્વ CMએ સવાલ કર્યો હતો કે શું ચૂંટણી અધિકારીઓ PM મોદી અને અન્ય વરિષ્ઠ નેતાઓના માલસામાનની પણ તપાસ કરશે? ઠાકરેએ યવતમાળના વાનીમાં શિવસેના (UBT) ઉમેદવાર સંજય ડેરકરના સમર્થનમાં આયોજિત જાહેર સભાને સંબોધિત કરતી વખતે આ કથિત ઘટના વિશે માહિતી આપી હતી.

મહારાષ્ટ્રમાં વિધાનસભા ચૂંટણી માટે 20 નવેમ્બરે એક જ તબક્કામાં તમામ 288 બેઠકો પર મતદાન થશે. આ પછી 23 નવેમ્બરે મતગણતરી થશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular