Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalવકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂઃ અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ

વકફ બોર્ડ સંશોધન બિલ લોકસભામાં રજૂઃ અનેક પાર્ટીઓએ કર્યો વિરોધ

નવી દિલ્હીઃ લોકસભામાં અલ્પસંખ્યક મામલાના મંત્રી કિરણ રિજિજુએ વકફ બોર્ડ અધિનિયમમાં સંશોધનથી જોડાયેલું બિલ રજૂ કર્યું હતું. આ બિલ દ્વારા વકફ એક્ટમાં અનેક ફેરફારો થશે. વકફ કાનૂન 1995નું નામ બદલીને એકીકૃત વકફ પ્રબંધન, સખતીકરણ, દક્ષતા અને વિકાસ અધિનિયમ, 1995 હશે. લોકસભામાં કોંગ્રેસે કહ્યું હતું કે આ બંધારણ પર હુમલો છે.

કિરણ રિજિજુએ કહ્યું હતું કે વિપક્ષે જે તર્ક આપ્યો છે એ બરાબર નથી. આ બિલમાં બંધારણની કોઈ પણ જોગવાઈનું ઉલ્લંઘન નથી કરવામાં આવ્યું. આ કોઈ પણ ધર્મમાં દખલ નથી. કોઈનો પણ હક છીનવવા માટે નથી, પણ જેને દબાવીને રાખવામાં આવ્યા હતા, તેમને જગ્યા આપવા માટે આ બિલ લાવવામાં આવ્યું છે. મુઠ્ઠીભર લોકોએ વકફ બોર્ડ પર કબજો કરી રાખ્યો છે.

આ બિલનો કોંગ્રેસ, SP સહિત ઇન્ડિયા ગઠબંધનના પક્ષોએ જોરદાર વિરોધ કર્યો છે. આ બિલને લઈને લોકસભામાં ભારે હંગામો થયો છે. કોંગ્રેસ સાંસદ કેસી વેણુગોપાલે લોકસભામાં વકફ બિલનો વિરોધ કરતાં કહ્યું હતું કે આ બિલ બંધારણ પર એક મૌલિક હુમલો છે. આ બિલમાં એ જોગવાઈ છે કે બિન મુસ્લિમ પણ વકફ ગવર્નિંગ કાઉન્સિલના સભ્ય હશે. એ ધર્મની સ્વતંત્રતા પર સીધો હુમલો છે. ત્યાર બાદ ખ્રિસ્તીઓ અને જૈનોને નંબર આવશે.

SPએ લોકસભામાં વકફ બોર્ડ સંશોધન બિલનો વિરોધ કર્યો હતો. પક્ષના સાંસદ મોહિબુલ્લાબે કહ્યું હતું કે મારા ધર્મમાં આ દખલઅંદાજી, એનાથી દેશની શાખને નુકસાન પહોંચશે, જ્યારે DMK સાંસદ કનિમોઝીએ કહ્યું હતું કે એ બિલ આર્ટિકલ 30નું સીધું ઉલ્લંઘન છે. આ બિલ એક વિશેષ ધાર્મિક સમૂહને ટાર્ગેટ કરે છે, એમ તેમણે કહ્યું હતું.

જોકે MP વકફ બોર્ડના અધ્યક્ષે સનવર પટેલે આ બિલનું સ્વાગત કરતાં કહ્યું હતું કે નવા પડકારોની સાથે નવા કાયદાની જરૂર હોય છે. જે લોકો સંપત્તિઓ પર ગેરકાયદે કબજો કરી લે છે, એના પર લગામ લાગશે. અમે મોદીજીનો આ બિલ માટે આભાર વ્યક્ત કરીએ છીએ.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular