Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalજગન્નાથ મંદિરમાં રસી વગર દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે

જગન્નાથ મંદિરમાં રસી વગર દર્શનાર્થીઓને પ્રવેશ અપાશે

પુરીઃ ઓડિશામાં પુરી સ્થિત જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓના પ્રવેશ માટે નેગેટિવ રિપોર્ટ અને કોવિડ-19ની રસીના બે ડોઝ લગાવ્યાનું સર્ટિફિકેટ બતાવવાનું હવે ફરજિયાત નહીં હોય. આ પહેલાં જે લોકો કોરોનાની રસીના બે ડોઝ લીધા હોય અથવા જે લોકોના નેગેટિવ ટેસ્ટ આવ્યા હોય – તેમને જ મંદિરમાં પ્રવેશવાની મંજૂરી આપવામાં આવી હતી.

જગન્નાથ મંદિરમાં શ્રદ્ધાળુઓને દર્શનની મંજૂરી રવિવાર સિવાય સવારે છ કલાકથી રાતે નવ કલાક સુધી આપવામાં આવશે. જોકે કોરોનાની સ્થિતિને જોતાં સ્વચ્છતા (સેનિટાઇઝેશન) માટે મંદિર જાહેર જનતા માટે બંધ રાખવામાં આવશે. વળી, મંદિરના પ્રાંગણમાં કોવિડ-19 પ્રોટોકોલ લગાવવામાં આવશે, કેમ કે જે મંદિરમાં હાજર રહેલા શ્રદ્ધાળુઓએ પ્રત્યેક સમયે માસ્ક પહેરવો અને સામાજિક અંતરનું પાલન કરવું જરૂરી છે.

આ સાથે મંદિરમાં વરિષ્ઠ નાગરિકોની સુવિધા માટે અલગ કતાર શરૂ કરી દેવામાં આવી છે. વળી, આ લોકો માટે પાણીની પીવાની વ્યવસ્થા પણ કરવામાં આવશે. આ ઉપરાંત જગન્નાથ મંદિર વહીવટી તંત્ર (SJTA) દ્વારા ઉપરોક્ત દિશા-નિર્દેશની સમયાંતરે સમીક્ષા કરવામાં આવશે અને બદલાતી સ્થિતિને ધ્યાનમાં રાખીને નિર્દેશ જારી કરવામાં આવશે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular