Sunday, May 18, 2025
Google search engine
HomeNewsNationalમણિપુરમાં ફરી ભડકી હિંસાઃ બે લોકોનાં મોત

મણિપુરમાં ફરી ભડકી હિંસાઃ બે લોકોનાં મોત

નવી દિલ્હીઃ મણિપુરમાં કેટલાય દિવસો પછી હિંસાનો દોર ફરી જોવા મળ્યો છે. સંદિગ્ધ ઉગ્રવાદીઓ તરફથી ડ્રોનથી બોમ્બ વરસાવામાં આવ્યા હતા, જેમાં બે લોકોનાં મોત થયાં હતાં અને નવથી વધુ ઘાયલ થયાના અહેવાલ છે. કોત્રુક અને કડાંગબાંડ ખીણને આ વખતે કુકી ઉગ્રવાદીઓએ નિશાના પર લીધી છે. તેમની તરફથી ઊંચા પહાડીઓથી બોમ્બમારો કરવામાં આવ્યો હતો. આ હુમલામાં બે લોકોનાં મોત  છે અને બે પોલીસ કર્મચારીઓ અને TV રિપોર્ટર ઇજાગ્ર્રસ્ત થયા હતા.

આ હિંસા અંગે કોત્રુક ગામના પંચાયત અધ્યક્ષે વિગતવાર ખુલાસો કરતાં કહ્યું હતું કે રવિવારે બપોરે બે વાગ્યાથી બોમ્બમારો અને ગોળીબાર શરૂ થયો હતો. આ હુમલામાં ઘણાં ઘરોને નુકસાન થયું છે.

હાલ  આ નવા હુમલા બાદ સ્થાનિક લોકોમાં ભારે નારાજગી છે. તેઓ બેફામપણે કહે છે કે રાજ્ય સરકારની તમામ ખાતરીઓ છતાં તેમને કોઈ સુરક્ષા મળી નથી, તેઓ ભયના વાતાવરણમાં જીવવા મજબૂર છે. મણિપુર સરકારે પણ આ બાબતની નોંધ લીધી છે અને તેની સખત નિંદા કરી છે. ખુદ સરકારે માહિતી આપી છે કે હુમલામાં અત્યાધુનિક હથિયારોનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. મોટી વાત એ છે કે આ આતંકવાદીઓ પછી રોકેટ પ્રોપેલ્ડ ગ્રેનેડ પણ હાજર હતા.

હવે આ હિંસા બાદ પશ્ચિમી જ઼િલ્લા ઈમ્ફાલમાં કર્ફ્યુ લાદી દેવામાં આવ્યો છે. આ વિસ્તારમાં ભારે પોલીસ દળ પણ તૈનાત છે અને પરિસ્થિતિને કાબૂમાં રાખવાના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે. હવે સ્થાનિક વહીવટી તંત્ર માટે સૌથી મોટો પડકાર એ છે કે આતંકવાદીઓ પાસે આધુનિક હથિયારો છે અને તેઓ મોટા પાયે હુમલાઓ કરી રહ્યા છે. જોકે મણિપુરમાં જે હિંસા જોવા મળી રહી છે તેના મૂળમાં વર્ષો જૂની માગ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular