Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalશંભુ બોર્ડરે ખેડૂત આંદોલનમાં પહોંચી વિનેશ ફોગાટ

શંભુ બોર્ડરે ખેડૂત આંદોલનમાં પહોંચી વિનેશ ફોગાટ

નવી દિલ્હીઃ શંભુ બોર્ડર પર ખેડૂતોના આંદોલનને શનિવારે 200 દિવસ પૂર્ણ થવા પર પહેલવાન વિનેશ ફોગાટ પણ વિરોધ સ્થળે પહોંચી હતી.  ખેડૂતોના નેતાઓએ મહિલા કુસ્તીબાજ વિનેશ ફોગાટનું હાર પહેરાવીને સન્માન કરવામાં આવ્યું હતું. ખેડૂતો અહીં મોટી સંખ્યામાં એકત્ર થયા છે અને મોટા પ્રદર્શનની યોજના બનાવી રહ્યા છે.

આ પંચાયત દરમ્યાન હરિયાણા ચૂંટણીને લઈને પણ ચર્ચા થવાની શક્યતા છે, જેમાં વિનેશ ફોગાટ પણ સામેલ થવાની શક્યતા છે. ખેડૂત નેતા સર્વનસિંહ પંઢેરે જણાવ્યું હતું કે આંદોલન શાંતિપૂર્ણ પરંતુ ખૂબ તીવ્રતાથી ચાલી રહ્યું છે. કેન્દ્ર સરકાર તેમના સંકલ્પનું પરીક્ષણ કરી રહી છે અને હજી સુધી અમારી માગ સંતોષવામાં નથી આવી. વિનેશે કહ્યું હતું કે ખેડૂતોને બેઠા  200 દિવસ થયા છે, એ જોઈને દુઃખ થાય છે. તેઓ બધા દેશના નાગરિક છે. ખેડૂત દેશ ચલાવે છે. તેમના વિના કશું સંભવ નથી. ત્યાં સુધી એથ્લીટ પણ કંઈ નથી. જો તેઓ અમને નહીં ખવડાવે તો અમે સ્પર્ધામાં કંઈ નહીં કરી શકીએ. કેટલીય વાર અને અસહાય થતાં કશું નથી કરી શકતા, પણ અમે પરિવારને દુખી જોઈને પણ તેમના માટે કશું નથી કરી શકતા.

હું નથી ઇચ્છતી તે ફોકસ મારા પર કરો, પણ તમે ખેડૂતોના સંઘર્ષ પર વધુ ધ્યાન આપો. જ્યારે યોગ્ય દિવસ આવશે, ત્યારે હું તમને ફોન કરીશ, એમ તેણે કહ્યું.

પોલીસ તંત્ર દ્વારા ખેડૂતોને દિલ્હી તરફ કૂચ કરતા અટકાવ્યા બાદ ખેડૂતો 13 ફેબ્રુઆરીથી શંભુ બોર્ડર પર બેઠા છે. ખેડૂતો સરકાર દ્વારા અન્ય મુખ્ય મુદ્દાઓની સાથે તમામ પાક માટે લઘુતમ ટેકાના ભાવ (MSP)ની કાયદેસર ગેરંટી માગી રહ્યા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular