Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalUPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તો યુઝર્સનો થશે મોહભંગ

UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લાગશે તો યુઝર્સનો થશે મોહભંગ

નવી દિલ્હીઃ દેશમાં યુનિફાઇડ પેમેન્ટ ઇન્ટરફેસ (UPI)નું ચલણ ઝડપથી વધ્યું છે. નાના-નાના પેમેન્ટ કરવા માટે લોકો UPI એપનો ઉપયોગ કરી રહ્યા છે. આ ઉપરાંત મોટા ટ્રાન્ઝેક્શન હોય કે મની ટ્રાન્સફર કરવા માટે જનતાની પહેલી પસંદ UPI છે દેશમાં UPI ટ્રાન્ઝેક્શન મૂલ્ય છેલ્લા પાંચ મહિનામાં FY24-25માં 1669 લાખ કરોડે પહોંચ્યું છે.   એને કારણે પેમેન્ટ એના દ્વારા પેમેન્ટ કરવાનો કોઈ ચાર્જ નથી લેવામાં આવતો, પણ હવે UPI દ્વારા પેમેન્ટ કરવા પર ચાર્જ લાગે એવી શક્યતા છે, એમ સૂત્રો કહે છે.

હાલના સમયમાં ચાની ટપરીથી માંડીને શાકભાજીની દુકાન સુધી દરેક જગ્યાએ UPI સ્કેનર લાગેલું હોય છે. જો UPI દ્વારા પેમેન્ટ પર ચાર્જ લગાવવામાં આવશે તો 75 ટકા યુઝર્સ UPIનો ઉપયોગ બંધ કરી દેશે, એમ લોકલસર્કલ્સનો એક સર્વે કહે છે. 38 ટકા યુઝર્સ 50 ટકા પેમેન્ટ ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ કે કોઈ અન્ય ડિજિટલ માધ્યમને બદલે UPI દ્વારા કરે છે. માત્ર 22 ટકા UPI યુઝર્સ ચુકવણી પર ચાર્જ ચૂકવવા તૈયાર છે, જ્યારે 75 ટકા લોકોએ કહ્યું હતું કે જો લેવડદેવડ ચાર્જ લગાવવામાં આવશે તો તેઓ UPIનો ઉપયોગ બંધ કરી દેશે. આ સર્વેમાં 325 જિલ્લાથી 44,000થી વધુ લોકોને આવરી લેવામાં આવ્યા હતા. આ સર્વે જુલાઈથી સપ્ટેમ્બર, 2024ના મધ્ય સુધી કરવામાં આવ્યો હતો, જેમાં 65 ટકા પુરુષ અને 35 ટકા મહિલાઓ સામેલ છે.

આ સર્વેમાં સામે આવ્યું હતું કે UPIનો 10માંથી આઠ જણ ઉપયોગ કરે છે. હવે જો કોઈ પણ રીતે UPI ટ્રાન્ઝેક્શન પર ચાર્જ લગાવવામાં આવશે તો એનો ઉગ્ર વિરોધ થશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular