Thursday, May 22, 2025
Google search engine
HomeNewsNationalઉમેશ પાલ કેસઃ અતીક અહેમદ સહિત 10 આરોપી દોષી ઠેરવાયા

ઉમેશ પાલ કેસઃ અતીક અહેમદ સહિત 10 આરોપી દોષી ઠેરવાયા

પ્રયાગરાજઃ ઉમેશ પાલ અપહરણ કેસમાં પ્રયાગરાજની MP-MLA સ્પેશિયલ કોર્ટે તમામ 10 આરોપીઓને દોષી ઠેરવ્યા છે. 17 વર્ષ જૂના આ કેસમાં કોર્ટે અતીક અહેમદ અને તેના ભાઈ અશરફ સહિત 11 લોકોને આરોપી દોષી ઠેરવ્યા છે. આ પહેલો કેસ છે, જેમાં અતીક અહેમદની સામે આરોપ નક્કી થયા છે. કોર્ટે અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત બધા આરોપીઓને દોષી કરાર ઠેરવ્યા છે.

25 જાન્યુઆરી, 2005એ BSP વિધાનસભ્ય રાજુ પાલની ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. આ કેસમાં અતીક અહેમદ, તેના ભાઈ અશરફ સહિત 11 આરોપીને દોષી ઠેરવવામાં આવ્યા છે, જેમાંથી એક આરોપીનું મોત થઈ ચૂક્યું છે. આ કેસમાં રાજુ પાલના સંબંધી ઉમેશ પાલ મુખ્ય સાક્ષી હતો. ઉમેશનું 28 ફેબ્રુઆરી, 2006એ અપહરણ થયું હતું. એનો આરોપ અતીક અહેમદ અને તેના સાથીઓ પર આ અપહરણનો આરોપ લાગ્યો હતો. ઉમેશે આરોપ લગાવ્યો હતો કે તેની સાથે મારપીટ કરવામાં આવી હતી અને તેને જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવી હતી. ઉમેશ પાલને ફેબ્રુઆરીમાં ગોળી મારીને હત્યા કરવામાં આવી હતી. એનો આરોપ અતીક અહેમદ પર છે.

કોર્ટે અતીક અહેમદ, અશરફ, દિનેશ પાસી, અન્સાર અહેમદ ઉર્ફે અન્સાર બાબા, ખાન સૌલત હનીફ, ફરહાન ઇસરાર, આબિદ પ્રધાન, આશિફ મલ્લી અને એઝાઝ અખતરને દોષી ઠેરવ્યા છે. આ પહેલાં અતીક અહેમદને ગુજરાતની સાબરમતી જેલથી પ્રયાગરાજ લાવવામાં આવ્યો હતો. તેના ભાઈ અશરફને બરેલીથી પ્રયાગરાજથી લાવવામાં આવ્યો હતો. આ સિવાય એક અન્ય આરોપી ફરહાનને પણ અહીં લાવવામાં આવ્યો હતો.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular