Wednesday, June 11, 2025
Google search engine
HomeNewsMumbaiઉદ્ધવ ઠાકરે મોટા ડાકુ છે, ભ્રષ્ટાચારમાં લિપ્ત છેઃ CM શિંદે

ઉદ્ધવ ઠાકરે મોટા ડાકુ છે, ભ્રષ્ટાચારમાં લિપ્ત છેઃ CM શિંદે

મુંબઈઃ મહારાષ્ટ્રના CM એકનાથ શિંદેએ રાજ્યની ચૂંટણીમાં ઉદ્ધવ ઠાકરે પર નિશાન સાધ્યું છે. ઉદ્ધવ ઠાકરે 1997થી CM બનવા ઇચ્છતા હતા. મનોહર, નારાયણના સમયથી CMપદની તેમને લાલસા હતી. તેઓ મહગદ્દાર છે. તેમણે ગઠબંધન તોડ્યું છે. તેમણે વિધાનસભામાં બાળાસાહેબનો ફોટો નથી લગાવ્યો. તેઓ મારી રાજકીય કારકિર્દી ખતમ કરવા ઇચ્છે છે. એમ CM શિંદેએ કહ્યું હતું.

 ઉદ્ધવ ઠાકરે પહેલેથી જ મને જેલ મોકલવા ઇચ્છે છે. તેમણે યોજના બનાવીને શરદ પવારથી મારું નામ બોલાવડાવ્યું. BMCના દ્વારા ઠાકરે ભ્રષ્ટાચાર લિપ્ત છે. રાહુલ ગાંધી પાસે બાળસાહેબને હિન્દુ હ્દયસમ્રાટ કહેવડાવે ઉદ્ધવ. ઠાકરેને કારણે એક-એક દિગ્ગજોએ પાર્ટીને છોડી છે, એમ તેમણે કહ્યું હતું. 

बंटेंगे तो कटेंगे નિવેદનનો ખોટો અર્થ કાઢવામાં આવી રહ્યો છે. લોકસભા ચૂંટણીમાં MVAએ ફેક નેરેટિવ ફેલાવ્યો હતો. વિના કોઈ ડેમેજ મરાઠા અનામત અમે આપી. ઉદ્દવ ઠાકરે હિન્દુત્વને પોતાના હિસાબે દર્શાવે છે. તેમણે વગર બિઝનેસે આટલી મિલકત કેવી રીતે બનાવી? પુત્ર માટે મને તેઓ હટાવવા ઇચ્છે છે. નામ, સિમ્બોલ, રમકડું નથી, બંધારણ હેઠળ અમને મળ્યું છે. મહાયુતિમાં CMની રેસ હું નથી, બહુમતીની સરકાર લાવવાનું લક્ષ્ય છે.

જ્યારે હું પાર્ટી સંભાળતો હતો, ત્યારે ઠાકરેને ખરાબ લાગતું હતું. ઉદ્ધવ ઠાકરે મોટા ડાકુ છે. તેઓ પહેલાં પોતાની અંદર જુએ. તેમનામાં મારી આંખમાં આંખ નાખીને વાત કરવાની હિંમત નથી. તેઓ અન્યોને નોકર સમજે છે, એમ તેમણે કહ્યું હતું.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular