Monday, May 26, 2025
Google search engine
HomeNewsNationalપાકિસ્તાનમાં શું ભણવા ગયા હતા? ટ્વિટર પર ટીખળ

પાકિસ્તાનમાં શું ભણવા ગયા હતા? ટ્વિટર પર ટીખળ

નવી દિલ્હી: કોરોના વાઈરસના વધતા જતા પ્રકોપ વચ્ચે વિદેશમાં રહેતા ભારતીયો પરત ઘરે ફરી રહ્યા છે. ભારતમાં તેને થોડા દિવસો અલગ રાખવામાં આવી રહ્યા છે. પંજાબનાં અટારી સ્થિતિ વાધા બોર્ડરથી 18 માર્ચની રાતે ભારત આવેલા 43 ભારતીયોને ક્વારંટાઇન ફેસિલિટી સેન્ટરમાં મોકલી દેવામાં આવ્યા છે. આ તમામની કોરોના વાયરસની તપાસ કરવામાં આવશે. 43માંથી 29 લોકો ક્રિકેટ મેચ જોવા દુબઈ ગયા હતા, જ્યારે 14 ભારતીય વિદ્યાર્થીઓ પાકિસ્તાનમાં અભ્યાસ કરી રહ્યા હતા.

પાકિસ્તાનમાં અભ્યાસ કરવા લયેલા ભારતીયો પરત ફર્યા છે એ વાતની જાણ થતા આ લોકોને ટ્વીટર પર ટ્રોલ કરવામાં આવી રહ્યા છે અને લોકો પાકિસ્તાનમાં તેમના ભણવા પર આશ્ચર્ય વ્યક્ત કરી રહ્યા છે. લોકો ટ્વીટર પર પૂછી રહ્યા છે કે, આ લોકો પાકિસ્તાનમાં શેનો અભ્યાસ કરી રહ્યા હતા. અને એવો તો કયો અભ્યાસ છે જે ભારતમાં નથી અને પાકિસ્તાનમાં છે? ટ્વિટર પર #StudyinginPakistan હેશટેગ ટોપ ટ્રેન્ડ કરી રહ્યો હતો.

મહત્વનું છે કે, પાકિસ્તાનથી પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓ કશ્મીરના છે. 16 માર્ચ 2020ના એક મીડિયા રિપોર્ટ અનુસાર કશ્મીરથી 15 વિદ્યાર્થીઓ સહિત લગભગ 100 ભારતીયોને અટારી વાધા બોર્ડરના માધ્યમથી ભારતમાં પ્રેવશની મંજૂરી આપવામાં આવી હતી.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular