Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalહિન્દુ કચ્છીઓની પડખે ઊભા રહેવાનો સમય આવી ગયોઃ દાનિશ કનેરિયા

હિન્દુ કચ્છીઓની પડખે ઊભા રહેવાનો સમય આવી ગયોઃ દાનિશ કનેરિયા

ઇસ્લામાબાદઃ હવે સમય આવી ગયો છે કે પાકિસ્તાનના સિંધમાં રહેતા હિન્દુ કચ્છીઓને સાથ આપવાનો, એમ પાકિસ્તાનના ભૂતપૂર્વ ક્રિકેટર દાનિશ કનેરિયાએ ટ્વીટ કરતાં જણાવ્યું હતું. કનેરિયાએ પાકિસ્તાનમાં રહેતા હિન્દુ અલ્પસંખ્યકો માટે અવાજ ઉઠાવ્યો હતો.  

પાકિસ્તાની કિન્દુ ક્રિકેટર દાનિશ કનેરિયાએ 31 ઓક્ટોબરે ટવીટ કરતાં હિન્દુ લઘુમતીનો મુદ્દો ઉઠાવતાં પાકિસ્તાનના સિંધમાં રહેતા અલ્પસંખ્યકો માટે ચિંતા વ્યક્ત કરી હતી. તેણે કહ્યું હતું કે આ હિન્દુઓ ધાર્મિક યુદ્ધ ઝોનમાં રહી રહ્યા છે. તેણે આ હિન્દુઓની દુર્દશાનો ચિતાર આપ્યો હતો. તેણે હિન્દુ કચ્છીઓને ટેકો આપવાની અરજ કરી હતી.

આ હિન્દુ કચ્છીઓ ચાર દસકા કરતાં પણ વધુ સમયથી ધાર્મિક યુદ્ધ ઝોનમાં રહી રહ્યા છે. તેમને લૂંટી લેવામાં આવ્યા છે. હવે તેમને ધમકીઓ આપવામાં આવી રહી છે અને તેમને જબરજસ્તીથી બેઘર કરવામાં આવી રહ્યા છે, એમ તેણે જણાવ્યું હતું.

તેમણે ટ્વીટ કરીને જણાવ્યું હતું કે હિન્દુ અલ્પસંખ્યકો સિંધમાં વર્ષોથી એક ધર્મની વિરુદ્ધ યુદ્ધ ઝોનમાં રહી રહ્યા છે, પણ હવે પ્રતિ દિન તેમને ઉત્પીડનનો સામનો કરવો પડી રહ્યા છે અને નિઃસહાય થઈ જાય છે. હવે તેમની પડખે ઊભા રહેવું જોઈએ અને તેમના માટે ન્યાયની માગ કરવી જોઈએ.

તેણે કહ્યું હતું કે મુસ્લિમ જમીનમાફિયાઓએ હિન્દુ કચ્છીઓના ઘરો અને મંદિરોને તોડી પાડ્યાં છે અને આગ લગાડી દીધી છે. કનેરિયા પાકિસ્તાનમાં સતત હિન્દુ લઘુમતીઓ માટે અવાજ ઉઠાવતો રહે છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular