Thursday, May 15, 2025
Google search engine
HomeNewsNationalત્રણ રાજ્યોએ PM-શ્રી યોજનામાં ભાગ લેવાથી કર્યો ઇનકાર

ત્રણ રાજ્યોએ PM-શ્રી યોજનામાં ભાગ લેવાથી કર્યો ઇનકાર

નવી દિલ્હીઃ શિક્ષણ મંત્રાલય દ્વારા પ્રધાનમંત્રી સ્કૂલ ફોર રાઇઝિંગ ઇન્ડિયા (PM-SHRI) યોજનામાં ભાગ લેવાની ના પાડવાને કારણે દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળને પ્રમુખ સ્કૂલ શિક્ષણ કાર્યક્રમ સમગ્ર શિક્ષણ અભિયાન (SSA) હેઠળ ભંડોળ અટકાવી દેવામાં આવ્યું છે.

PM-શ્રીનું બજેટ રૂ. 27,000 કરોડથી વધુ છે અને એનુ લક્ષ્ય આગામી પાંચ વર્ષોમાં કમસે કમ 14,500 સરકારી સ્કૂલોને અનુકરણીય સંસ્થાનોમાં અપગ્રેડ કરવાનું છે. એમાં થનારો 60 ટકા નાણાકીય ખર્ચ કેન્દ્ર અને રાજ્યોએ 40 ટકા વહન કરવાનો છે. નેશનલ એજ્યુકેશન પોલિસી (Nep)માં રાજ્યોએ અને શિક્ષણ મંત્રાલયની સાથે એક સમજૂતી કરાર (MoU) પર હસ્તાક્ષર કરીને પોતાની ભાગીદારીની પુષ્ટિ કરવાની રહેશે.

પાંચ રાજ્યો- તામિલનાડુ, કેરળ, દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળે હજી સુધી સમજૂતી કરાર પર હસ્તાક્ષર કરવાના બાકી છે, જ્યારે તામિલનાડુ અને કેરળે પોતાની ઇચ્છાથી હકારાત્મક સંકેત આપ્યા છે, જ્યારે દિલ્હી, પંજાબ અને પશ્ચિમ બંગાળે ઇનકાર કર્યો છે. એને કારણે SSA ફંડને અટકાવવા માટે કેન્દ્રને મજબૂર થવું પડ્યું.

આ ત્રણ રાજ્યોને પાછલા નાણાકીય વર્ષના ઓક્ટોબર-ડિસેમ્બર અને જાન્યુઆરી-માર્ચ ત્રિમાસિક માટે SSA ફંડનો ત્રીજો અને ચોથો હપતો નથી મળ્યો. એ સાથે આ રાજ્યોને ચાલુ નાણાકીય વર્ષના એપ્રિલ-જૂન ત્રિમાસિકનો પહેલો હપતો પણ નથી મળ્યો. જોકે દિલ્હીને ત્રણ ત્રિમાસિક માટે આશરે રૂ. 330 કરોડ, પંજાબને લગભગ રૂ. 515 કરોડ અને પશ્ચિમ બંગાળને રૂ. 1000 કરોડથી વધુની પ્રતીક્ષા છે.

PM-શ્રી યોજનામાં દિલ્હી પંજાબે ભાગ લેવાને ઇનકાર કર્યો હતો, કેમ કે આમ આદમી પાર્ટી દ્વારા શાસિત રાજ્ય પહેલેથી જ સ્કૂલ ઓફ એમિનન્સ નામની અનુકરણીય સ્કૂલો માટે એકસમાન યોજના ચલાવી રહ્યા છે, જ્યારે પશ્ચિમ બંગાળે સ્કૂલોના નામની આગળ PM- શ્રી લગાવવાનો વિરોધ કર્યો હતો, કેમ કે રાજ્ય ખર્ચનો 40 ટકા ભાગ વહન કરે છે.

આ ફંડ અટકાવવાને કારણે નાણાકીય સંકટ દિલ્હી અનુભવી રહ્યું છે. અહીં MCD પ્રાથમિક સ્કૂલોમાં કામ કરતા આશરે 2400 શિક્ષકો અને શિક્ષણ કાર્યક્રમ પર કામ કરતા 700 કર્મચારીઓને પગાલ SSA ફંડમાં આપવામાં આવે છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular