Sunday, June 8, 2025
Google search engine
HomeNewsNationalસંભલમાં બબાલ કરવાવાળાથી કરાશે નુકસાનની ભરપાઈ

સંભલમાં બબાલ કરવાવાળાથી કરાશે નુકસાનની ભરપાઈ

નવી દિલ્હીઃ ઉત્તર પ્રદેશમાં કોર્ટના આદેશ પર જામા મસ્જિદના સર્વે દરમ્યાન ભડકેલી હિંસા પછી પોલીસ વહીવટી તંત્ર સતત કાર્યવાહી કરી રહ્યું છે. યોગી સરકાર આકરાં પગલાં લેવાના મૂડમાં છે.  આ કેસમાં 27 આરોપીની ધરપકડ કરવામાં આવી છે, એમાંથી ત્રણ સગીર પણ છે. 74 તોફાની તત્ત્વોની ઓળખ કરવામાં આવી છે, જે ફરાર છે અને એની તપાસ જારી છે.

ઉત્તર પ્રદેશના સંભલમાં જામા મસ્જિદના સર્વે મામલે થયેલી અથડામણમાં ચાર લોકોના મોત નીપજ્યા હતાં. આ સર્વે વખતે તોડફોડ અને આગચંપીની ઘટના બની હતી, જેમાં અનેક પોલીસ કર્મચારીઓ પણ ઘાયલ થયા હતા. જો કે, હવે પરિસ્થિતિ સામાન્ય થઈ રહી છે.રાજ્ય સરકારે કહ્યું છે કે અમે સંભલમાં પથ્થરમારો કરનારાં અસામાજિક તત્ત્વોનાં પોસ્ટર દરેક ચાર રસ્તા પર લગાવવાનું નક્કી કર્યું છે. અમે તેમની પાસેથી નુકસાનનું વળતર વસૂલવાનો પણ આદેશ આપ્યો છે. જે અસામાજિક તત્ત્વો હજુ ઝડપાયાં નથી, તેમની ઓળખ આપનારા માટે ઇનામ પણ જાહેર કરવાનું વિચારાણા હેઠળ છે. સંભલના ગુનેગારોને આકરી સજા આપીને આ પ્રકારનો તણાવ અને તંગદિલીનો માહોલ ઊભો કરનારા માટે એક ઉદાહરણ પૂરું પડાશે.

સંભલની શાહી જામા મસ્જિદના સર્વે દરમિયાન સર્જાયેલી હિંસામાં મેજિસ્ટ્રેટે તપાસના આદેશ આપ્યા છે. પોલીસે પણ પથ્થરમારો કરનારા 100 લોકોની ઓળખ કરી છે અને અત્યાર સુધી 27 લોકોની ધરપકડ કરી છે. જેમાં બે મહિલાઓ પણ સામેલ છે.

આ અથડામણ મામલે કુલ 12 FIR નોંધાઈ છે. તે અંતર્ગત 14 વર્ષથી માંડી 72 વર્ષના આરોપીઓની ધરપકડ થઈ છે. પોલીસે ગંભીર કલમો લગાવી આકરી કાર્યવાહી હાથ ધરી છે. FIRમાં પોલીસે સાંસદ જિયા ઉર્ર રહમાન બર્ક અને સ્થાનિક ધારાસભ્યના પુત્ર સુહેલ ઈકબાલ પર લોકોને ભડકાવવાનો આરોપ મૂક્યો છે.

શું હતી સંભલની ઘટના?કોર્ટે અહીંની જામા મસ્જિદનો બીજી વાર સર્વે કરવા આદેશ આપતાં રવિવારે એક ટીમ ત્યાં પહોંચી હતી. આ દરમિયાન અચાનક પથ્થરમારો શરૂ થઈ ગયો. દેખાવકારોએ પોલીસ વાહનોની પણ આગચંપી કરી, જેમાં એસપી, સીઓ સહિત અનેક પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. આ સ્થિતિ કાબૂમાં લેવા માટે પોલીસે ટિયર ગેસના શેલ છોડ્યા અને લાઠીચાર્જ પણ કરવો પડ્યો હતો.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular