Sunday, June 29, 2025
Google search engine
HomeNewsNationalપરીક્ષામાં ગેરરીતિ મુદ્દે યોગી સરકાર લાવશે નવો કડક કાયદો

પરીક્ષામાં ગેરરીતિ મુદ્દે યોગી સરકાર લાવશે નવો કડક કાયદો

નવી દિલ્હીઃ મેડિકલ પરીક્ષ NEET UGમાં ગરબડને લઈને ચાલી રહેલી બબાલની વચ્ચે UPની યોગી સરકારે જાહેર કર્યું છે કે કોઈ પણ પરીક્ષામાં ગેરરીતિને રોકવા માટે એક સખત કાયદો બનાવવામાં આવી રહ્યો છે. આ કાયદાના દાયરામાં પેપર લીક કરાવવાળા અને સાલ્વર ગેંગના લોકો હશે.

પેપર લીક કરાવનારા સામે હવે સરકારે કાયદા હેઠળ આવા લોકોની વિરુદ્ધ રૂ. એક કરોડ અથવા એનાથી વધુ ભારે દંડ લગાવશે અને જેલ મોકલવાની કાર્યવાહી કરશે. આ ઉપરાંત તેમના ઘર પર બુલડોઝર પણ ચાલશે. કાયદામાં એને લઈને જોગવાઈ કરવામાં આવી રહી છે.

UP સરકાર પરીક્ષાઓમાં ગેરરીતિઓ અને ગરબડ રોકવા માટે એક નીતિની પણ ઘોષણા કરી છે. સરકાર એવી વ્યવસ્થા કરવા જઈ રહી છે કે દરેક પાળીમાં બે કે એનાથી વધુ પેપર સેટ જરૂર રહેશે. બધાની પ્રિન્ટિંગ કરાવવાની જવાબદારી અલગ-અલગ એજન્સીને સોંપવામાં આવશે. પેપર કોડિંગને લઈને પણ તૈયારી કરવામાં આવી છે. બધા ક્વેશ્ચન પેપરમાં ખાનગી કોડ હશે. બધા પાનાં પર ખાનગી સુરક્ષા ચિહન હશે- એટલે કે યુનિક બારકોડ, QR કોડ, યુનિક સિરિયલ નંબર રહેશે. એને લાવવા-લઈ જવાના બોક્સ ટેમ્પર પ્રૂફ મલ્ટિ લેયર પેકેજિંગ રહેશે.

પ્રોફેસરોને પ્રશ્ન પત્રોને તૈયાર કરવા માટે ઘણો સમય આપવામાં આવશે, એટલે કે પેપરોમાં કોઈ પણ પ્રકારની ખામી રોકવા માટે જરૂરી વ્યવસ્થા કરવામાં આવશે. પરીક્ષા નિયંત્રક નિયમિત રૂપે નિરીક્ષણ કરશે. ત્યાં મોબાઇલ કે સ્માર્ટ ફોન લઈ જવા પર પ્રતિબંધ રહેશે. આ કામમાં લાગેલા લોકોને બહારના લોકોથી મળવાની મનાઈ રહેશે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular