Monday, June 30, 2025
Google search engine
HomeNewsNationalવિશ્વમાં આ દિવસે એક કલાક છવાશે અંધારું, જાણો...

વિશ્વમાં આ દિવસે એક કલાક છવાશે અંધારું, જાણો…

નવી દિલ્હીઃ વિશ્વમાં પ્રતિ વર્ષ અર્થ અવર ડે ઊજવવામાં આવે છે. વર્લ્ડ વાઇડ ફંડ ફોર નેચર તરફથી પ્રતિ વર્ષ માર્ચના છેલ્લા શનિવારે અર્થ અવર ડેનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે રાત્ર 8.30 કલાકથી 9.30 કલાક સુધી વિશ્વના કરોડ લોકો સ્વચ્છાએ એક કલાક માટે લાઇટ બંધ કરી દે છે. એનો હેતુ પૃથ્વીને સારી બનાવવા માટે એકજુટતાનો સંદેશ આપવાનો છે.

વિશ્વમાં લોકો પ્રકૃતિ અને જળવાયુ પરિવર્તન પ્રતિ જાગરુક કરવાના ઉદ્દેશથી પ્રતિ વર્ષ આ દિવસ ઊજવવામાં આવે છે. આ અર્થ અવરનો પ્રારંભ 2007માં ઓસ્ટ્રેલિયાના સિડની શહેરથી થઈ હતી. વિશ્વમાં ધીમે-ધીમે એ લોકપ્રિય થઈ ગયું. વર્ષ 2008માં 35 દેશોએ અર્થ અવર ડેમાં ભાગ લીધો હતો. હવે અર્થ અવર ડેમાં 178 દેશો સામેલ થઈ ગયા છે.

સામાન્ય રીતે માર્ચના છેલ્લા શનિવારે લોકો કેન્ડલ સળગાવીને અર્થ અવર ઊજવે છે. અર્થ અવર ડે ઊજવવા પાછળ મુખ્ય ઉદ્દેશ ઊર્જાની બચત કરવાનો અને પ્રકૃતિની સુરક્ષા માટે જળવાયુ પરિવર્તન અને સતત વિકાસ પર ધ્યાન આપવાનો છે. એ સાથે પ્રકૃતિને નુકસાનને અટકાવાનો છે. એના આયોજનના માધ્યમથી વિશ્વના લોકો પ્રતિ દિન પ્રકૃતિને થતા નુકસાન પ્રત્યે જાગરુક કરવામાં આવે છે. આ સિવાય પ્રકૃતિને નુકસાનને અટકાવવા માટે પ્રેરિત કરવામાં આવે છે.

અર્થ અવર ઝુંબેશને 190થી વધુ દેશોનો સહયોગ મળી રહ્યો છે. વિશ્વના કરોડો લોકો પ્રતિ વર્ષ આ વૈશ્વિક કાર્યક્રમમાં સામેલ થાય છે. અર્થ અવર ડેએ વિશ્વની કેટલીય ઐતિહાસિક ઇમારતોની વીજળી બંધ કરી દેવામાં આવે છે.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular