Monday, July 14, 2025
Google search engine
HomeNewsNationalસંપૂર્ણ ભારત આજે બન્યું છે રામમયઃ મોદી

સંપૂર્ણ ભારત આજે બન્યું છે રામમયઃ મોદી

અયોધ્યાઃ અયોધ્યામાં રામ મંદિર નિર્માણ માટે આજે ભૂમિપૂજન કાર્યક્રમ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ મુખ્ય પૂજા કરી અને આ ઐતિહાસિક કાર્ય માટે અયોધ્યા સાક્ષી બની છે. અયોધ્યામાં રામ મંદિરનું ભૂમિપૂજન કર્યા પછી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ ત્યાંના લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમમાં 175 પ્રતિષ્ઠિત અતિથિ આવ્યા હતા. તેમણે પોતાના ભાષણનો પ્રારંભ જય શ્રીરામના નારાઓથી શરૂઆત કરી હતી. તેમણે કહ્યું હતું કે જય સિયા રામનું સૂત્ર આજે માત્ર અયોધ્યામાં નહીં પણ આજે સમગ્ર વિશ્વમાં ગુંજી રહ્યું છે. તેમણે કહ્યું હતું કે કરોડો રામભક્તોનો વર્ષોનો ઇંતજાર આજે પૂરો થયો છે. હવે જ્યારે રામ મંદિરની આધારશિલા રાખવામાં આવી છે અને વિધિવત્ રૂપે રામ મંદિરના નિર્માણનું કાર્ય શરૂ થઈ ચૂક્યું છે.  

સરયૂના કિનારે આજે સ્વર્ણિમ અધ્યાય

તેમણે કહ્યું હતું કે એ મારું સૌભાગ્ય છે કે રામ ભૂમિ ટ્રસ્ટે મને આમંત્રિત કરીને આ પ્રસંગના સાક્ષી બનવાની તક આપી છે. આજે સરયૂના કિનારે આજે સ્વર્ણિમ અધ્યાય લખવામાં આવી રહ્યો છે. આજે સમગ્ર ભારત રામમય છે. સમગ્ર દેશ રોમાંચિત છે. દરેક મન દીપમય છે. સમગ્ર ભારત ભાવુક છે. સદીઓનો ઇંતજાર આજે પૂરો થઈ રહ્યો છે.

‘રામ કાજ કિન્હે બિના મોહુ કહા વિશ્રામ’ : મોદી

તેમણે કહ્યું હતું કે ‘રામ કાજ કિન્હે બિના મોહુ કહા વિશ્રામ’. તેમણે કહ્યું હતું કે આજે સમગ્ર વિશ્વમાં એની ગૂંજ છે. પહેલાં હું માતા જાનકીને યાદ કરી લઉં. જય સિયા રામ, જય સિયા રામની સમગ્ર વિશ્વમાં ગુંજ છે. તમે ભગવાન રામની અદભુત શક્તિ જુઓ. ઇમારતો નષ્ટ કરી દેવામાં આવી. અસ્તિત્વ મિટાવવાના અનેક પ્રયાસ પણ બહુ થયા, પણ રામ આજે આપણા મનમાં વસ્યા છે અને અમારી સંસ્કૃતિનો આધાર છે.

રામ દરેક જગ્યાએ છે

વડા પ્રધાને કહ્યું હતું કે રામ દરેક જગ્યાએ છે. ભારતના દર્શન આસ્થા-આદર્શ-દિવ્યતામાં રામ જ છે. તુલસીના રામ સગુણ રામ છે. નાનક-તુલસીના રામ નિગુણ રામ છે. ભગવાન બુદ્ધ-જૈન ધર્મ પણ રામથી જોડાયેલા છે. તમિળમાં કંભ રામાયણ છે. તેલુગુ, કન્નડ, કાશ્મીર સહિત અલગ-અલગ હિસ્સામાં રામને સમજવાના અલગ-અલગ રૂપ છે. રામ બધામાં છે.

ઇન્ડોનેશિયામાં પણ રામાયણ પાઠ

વિશ્વમાં સૌથી વધુ મુસ્લિમ વસતિ ઇન્ડોનેશિયામાં છે. ત્યાં રામાયણનો પાઠ થાય છે. તેમણે કહ્યું હતું કે કમ્બોડિયા, શ્રીલંકા, ચીન, ઇરાન અને નેપાળ સહિત વિશ્વના કેટલાય દેશોમાં રામનામ લેવામાં આવે છે.

તેમણે કહ્યું હતું કે આજે કરોડો રામભક્તોના સંકલ્પની સત્યતા અને જીતનું પ્રમાણ છે. આ દિવસ સત્ય-અહિંસા-આસ્થા અને બલિદાનને ન્યાયપ્રિય ભારતની એક અનુપમ ભેટ છે.  વડા પ્રધાને કહ્યું હતું કે આ મંદિરથી સાથે ઇતિહાસ ખુદને દોહરાવી રહ્યો છે. જે રીતે ખિસકોલીથી માંડીને વાનર, કેવટથી માંડીને વનવાસીબંધુઓને રામની સેવા કરવાનું સૌભાગ્ય મળ્યું.

વડા પ્રધાને ભાષણનું સમાપન કરતાં કહ્યું હતું કે ભગવાન રામ અને માતા સીતાના બધા લોકો પર આશીર્વાદ બન્યા રહે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular