Saturday, June 7, 2025
Google search engine
HomeNewsNationalમુસલમાનોને દુશ્મન માનીને વ્યવહાર કરી રહી છે સિસ્ટમઃ ઇમરાન પ્રતાપગઢી

મુસલમાનોને દુશ્મન માનીને વ્યવહાર કરી રહી છે સિસ્ટમઃ ઇમરાન પ્રતાપગઢી

લખનૌઃ ઉત્તર પ્રદેશના સંભલ હિંસા મામલે SP સાંસદ જિયાઉર્રહેમાન બર્કની વિરુદ્ધ FIR નોંધવામાં આવી છે. બર્ક પર લોકોને ભડકાવવાનો આરોપ છે. સંભલમાં સ્થિતિ બગડતી જઈ રહી છે. જામા મસ્જિદના સર્વેને લઈને અહીં ફાટી નીકળેલી હિંસામાં મૃત્યુઆંક ચાર પર પહોંચી ગયો છે. જેથી પશ્ચિમ યુપીમાં હાઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. સંભલમાં ઈન્ટરનેટ હજુ પણ બંધ છે. સંભલ વિસ્તારની શાળાઓને પણ સોમવારે બંધ રાખવાનો આદેશ આપવામાં આવ્યો હતો. રવિવારે સંભલમાં કોર્ટના આદેશ પર કોર્ટ કમિશનરની ટીમ બીજી વખત શાહી જામા મસ્જિદમાં સર્વે માટે પહોંચી ત્યારે હોબાળો થયો હતો. સવારે લગભગ પોણાનવ વાગ્યાની આસપાસ, ઉગ્રવાદીઓએ પહેલા જામા મસ્જિદની બહાર અને પછી નખાસા વિસ્તારમાં પોલીસ પર ભારે પથ્થરમારો કર્યો હતો. તેમણે બંને સ્થળોએ ઓછામાં ઓછા એક ડઝન વાહનોને સળગાવી દીધાં હતાં.

એ દરમિયાન SPના PRO, CO અને કોતવાલ સહિત 12થી વધુ પોલીસ કર્મચારીઓ ઘાયલ થયા હતા. બીજી તરફ વારંવાર સમજાવવા છતાં પણ ટોળું શાંત ન થતાં પોલીસે વળતો જવાબ આપતાં પહેલાં ટિયર ગેસના શેલ છોડ્યા અને પછી લાઠીચાર્જ કર્યો. લગભગ અઢી કલાક સુધી ચાલેલી હિંસા દરમિયાન ભીડમાંના ત્રણ લોકોનાં મોત થયા હતા. જ્યારે અન્ય એક ગંભીર રીતે ઘાયલ વ્યક્તિનું મોડી રાત્રે મોત નિપજ્યું હતું.

બીજી બાજુ, વિરોધ પક્ષોએ રાજ્યમાં સંભલમાં થયેલી હિંસા માટે ભાજપને જવાબદાર ઠેરવ્યો છે. તેમણે આરોપ લગાવ્યો હતો કે ભાજપે નફરતના રાજકારણને પ્રોત્સાહન આપવા માટે મસ્જિદમાં સર્વેક્ષણ ટીમ મોકલી છે. કોંગ્રેસના રાજ્યસભાના સાસંદ ઇમરાન પ્રતાપગઢીએ આરોપ લગાવ્યો હતો કે મુસલમાનોને ભારતમાં દુશ્મન માનીને વ્યવહાર કરવામાં આવી રહ્યો છે.  

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular