Friday, May 16, 2025
Google search engine
HomeNewsNationalબિહારમાં પૂરનાં પાણીથી સ્થિતિ બદથી બદતર

બિહારમાં પૂરનાં પાણીથી સ્થિતિ બદથી બદતર

નવી દિલ્હીઃ નેપાળમાં ભારે વરસાદને કારણે બિહારની હાલત ખસ્તા છે. નદી-નાળામાં ઘોડાપૂર છે. કોશી, ગંડક અને ગંગા નદીમાં પૂરને પગલે ગામ-શહેરોમાં વિનાશ જોવા મળે છે. દરભંગાથી માંડીને સહરસા જેવા નવા વિસ્તારોમાં પૂરનાં પાણી પ્રસર્યાં છે. અત્યાર સુધી 19 જિલ્લાઓમાં 12 લાખથી વધુ લોકો પૂરથી પ્રભાવિત થયા છે.

રાજ્યમાં સૌથી વધુ પશ્ચિમી ચંપારણ, અરરિયા, કિશનગંજ, ગોપાલગંજ, શિવહર, સીતામઢી, સુપૌલ, મધેપુરા મુઝફ્ફરપુર, પૂર્મિયા, મધુબની, દરભંગા, સારણ, સહરસા અને કટિહાર જિલ્લા પૂરથી અસરગ્રસ્ત થયા છે. આ જિલ્લાની 368 પંચાયતોમાં પૂરનાં પામી પ્રસર્યા છે. સામાન્ય જનજીવન અસ્તવ્યસ્ત થઈ ગયું છે.બિહારમાં કુલ 38 જિલ્લા છે અને છેલ્લા બે દિવસોમાં અડધા જિલ્લાઓમાં 16 લાખ લોકો પૂરનાં પાણીથી જંગ લડી રહ્યા છે.સરકારનું કહેવું છે કે નેપાળમાં 70 કલાકના વરસાદ પછી કોશી, ગંડકમાં પાણી છોડવામાં આવ્યું હતું.ઉત્તરી બિહારમાં 24 કલાકમાં ચાર જિલ્લામાં સાત બાંધ તૂટી ચૂક્યા ચે. રાજ્યમાં 270 ગામ સંપૂર્ણ રીતે ડૂબી ગયાં છે. જનતા સવાલ કરી રહી છે કે બિહારની પૂરવળી સમસ્યાનું કેમ કોઈ સમાધાન નથી? આખરે ક્યાં સુધી કઈ પાર્ટી અને સરકારે બિહારને પૂરથી બચાવવામાં રસ કેમ નથી દાખવ્યો? સ્વતંત્રતાના 7-80 વર્ષ પછી પણ રાજ્યમાં પૂરનો ત્રાસ અટકાવવામાં કેમ કોઈ નક્કર ઉપાય નથી કરવામાં આવ્યા. આ પૂરને કારણે નીચાણવાળા વિસ્તારવાળામાં સ્થિતિ વણસી રહી છે. NDRF અને SDRFએ અત્યાર સુધી 2.26 લાખ લોકોને સુરક્ષિત જગ્યાએ ખસેડ્યા છે.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular