Wednesday, June 18, 2025
Google search engine
HomeNewsNationalરામમંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં મળ્યું રૂ. 41 કરોડનું દાન

રામમંદિર ટ્રસ્ટને અત્યાર સુધીમાં મળ્યું રૂ. 41 કરોડનું દાન

નવી દિલ્હીઃ વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ પાંચ ઓગસ્ટે રામ મંદિરનું ભૂમિપૂજન કર્યું અને મંદિરની આધારશિલા રાખી. ત્યાર બાદ અયોધ્યામાં પ્રસ્તાવિત રામ મંદિરનું નિર્માણ કાર્ય શરૂ થઈ ગયું છે. જોકે મંદિર નિર્માણથી પહેલાં શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટને અત્યાર સુધીમાં 41 કરોડ રૂપિયાનું દાન પ્રાપ્ત થયું છે.

આમાં ધર્મગુરુઓ દ્વારા કરવામાં આવેલું દાન સામેલ નથી, જેમાં પરમાર્થ નિકેતનના સ્વામી ચિદાનંદ સરસ્વતી, જૂના અખાડાના સ્વામી અવધેશાનંદ ગિરિ, બાબા રામદેવ અને અન્ય સન્માનીય વ્યક્તિઓ સામેલ નથી, જે બુધવારે ભૂમિ પૂજનના પ્રસંગે અયોધ્યામાં મોજૂદ નહોતા.

મોરારી બાપુ દ્વારા 11 કરોડ રૂપિયા દાન

ટ્રસ્ટના કોષાધ્યક્ષ સ્વામી ગોવિંદ દેવ ગિરિના અનુસાર મંગળવારને છેલ્લી વાર જોવામાં આવ્યું હતું ત્યારે ટ્રસ્ટમાં કુલ દાન 30 કરોડ રૂપિયા હતું. રામાયણ કથાકાર મોરારીબાપુ દ્વારા 11 કરોડ રૂપિયા દાન કર્યા પછી આ ભંડોળ વધીને 41 કરોડ રૂપિયા થયું હતું. જોકે આ રકમમાં બુધવારે કરવામાં આવેલું દાન સામેલ નથી. તેમણે એમ પણ કહ્યું હતું કે કોવિડ-19 રોગચાળા દરમ્યાન પણ લોકોએ રામ મંદિર માટે દાન કર્યું હતું. રામ મંદિરનું નિર્માણ L&T કરશે અને મંદિર બનાવવામાં આશરે ત્રણથી સાડાત્રણ વર્ષનો સમય લાગશે.

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular