Sunday, June 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર

કોરોનાના સંક્રમિતોની સંખ્યા પાંચ લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 18,552 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 384 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 15 દિવસથી નવા કોરોના વાઇરસના કેસ 10,000થી વધુ આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 5,08,953 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 15,685 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,89,880 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,97,387એ પહોંચી છે. રિકવરી રેટ 58.13 ટકાએ પહોંચ્યો છે.  

10 દેશોમાં બે લાખથી વધુ કેસ

બ્રાઝિલ, રશિયા, સ્પેન, યુકે, ઇટાલી, ભારત, પેરુ, ચિલી, ઇરાન અને મેક્સિકોના કોરોનાના કેસોની સંખ્યા બે લાખને પાર થઈ ગઈ છે. જ્યારે પાકિસ્તાન, તુર્કી અને જર્મનીમાં પણ 1.90 લાખથી વધુ કોરોનાના કેસ નોંધાયા છે. ભારત વિશ્વમાં સૌથી વધુ કેસોને મામલે ચોથા નંબરે છે. જ્યારે સૌથી વધુ મોતના મામલે આઠમા નંબરે છે.

અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસ

અમેરિકામાં કોરોનાના સૌથી વધુ કેસો નોંધાયા છે. અત્યાર સુધી અમેરિકામાં કોરોનાના 25,52,956 કેસો નોંધાયા છે અને 1,27,640 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 99 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,96,866 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 99,04,906એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular