Saturday, June 14, 2025
Google search engine
HomeNewsNationalકોરોનાના સંક્રમિતોની સંખ્યા 4.50 લાખને પાર

કોરોનાના સંક્રમિતોની સંખ્યા 4.50 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં દિન-પ્રતિદિન વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 15,968 નવા કેસ સામે આવ્યા છે, જે અત્યાર સુધી એક દિવસમાં આવેલા કેસોમાં સૌથી વધુ છે. પાછલા 24 કલાકમાં 465 લોકોનાં મોત થયાં છે. દેશમાં છેલ્લા 13 દિવસથી નવા કોરોના વાઇરસના કેસ 10,000થી વધુ આવ્યા છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 4,56,183 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 14,476 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 2,58,685 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,83,022એ પહોંચી છે. રિકવરી રેટ 56.70 ટકાએ પહોંચ્યો છે.  

દિલ્હીમાં કોરોનાના આશરે 4000 નવા કેસ

દિલ્હીમાં કોરોનાના પાછલા 24 કલાકમાં 4000 નવા કેસ સામે આવ્યા છે. રાજ્યમાં કોરોના સંક્રમિતોની સંખ્યા આશરે 67,000 થઈ ગઈ છે, જેમાંથી 6170 લોકોનાં મોત થયાં છે.

વિશ્વમાં કોરોનાથી 93 લાખથી વધુ લોકો કોરોના સંક્રમિત

વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,79,805 લોકોનાં મોત થયાં છે અને અત્યાર સુધી કોરોના સંક્રમિતોની સંખ્યા 93,53,735એ પહોંચી છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular