Friday, June 20, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 1.45 લાખ અને 4167 લોકોનાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા 1.45 લાખ અને 4167 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં દરરોજ કોરોનાની સંખ્યા રેકોર્ડ તોડી રહી છે. મહારાષ્ટ્રમાં કોરોનાથી સૌથી ખરાબ હાલત છે. આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 1,45,380 થઈ ગઈ છે. જ્યારે 60,491 લોકો આ બીમારીમાંથી સ્વસ્થ થઈ ચૂક્યા છે. પાછલા 24 કલાકમાં કોરોનાના 6535 નવા કેસ સામે આવ્યા છે અને 146 લોકોનાં મોત થયાં છે. કોરોનાને લીધે અત્યાર સુધી દેશમાં 4167 લોકોનાં મોત થયાં છે. રિકવરી રેટ વધીને 41.60 ટકા થયો છે.

લોકડાઉનની છૂટનાં પરિણામો સામે આવી રહ્યાં છે

લોકડાઉનની શરતોમાં છૂટછાટનાં પરિણામો સામો આવવાં લાગ્યાં છે. પૂર્વોત્તર રાજ્યોમાં કોરોના સંક્રમણ તેજીથી ફેલાઈ રહ્યું છે. ગ્રીન ઝોનમાં પણ લોકો સંક્રમિત થઈ રહ્યા છે. ચેન્નઈથી પરત ફરેલા ત્રણ લોકોને નાગાલેન્ડમાં સંક્રમિત થયા હતા.

વિશ્વમાં કોરોના વાઇરસના 54 લાખથી વધુ કેસ

વિશ્વભરમાં અત્યાર સુધી કોરોના વાઇરસના 54 લાખથી વધુ કેસ સામે આવ્યા છે. જ્યારે આ વાઇરસે અત્યાર સુધીમાં 3.45 લાખ લોકોનાં મોત થયાં છે. વિશ્વભરમાં કોરોનાના 29,14,122 લોકોના સક્રિય કેસ છે. અમેરિકામાં કોરોના વાઇરસથી 98,000થી વધુ લોકોનાં મોત થયાં છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular