Sunday, June 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 40,000ની નજીક, 83 લોકોનાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 40,000ની નજીક, 83 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસનો પ્રકોપ સતત વધી રહ્યો છે. દેશમાં કોવિડ-19 સંક્રમિત દર્દીઓનો કુલ આંકડો વધીને 39,980 પર પહોંચ્યો છે. અત્યાર સુધી આ વાઇરસે 1301 લોકોનો ભોગ લીધો છે, એમ આરોગ્ય મંત્રાલયે માહિતી આપી હતી. પાછલા 24 કલાકમાં 83 લોકોનાં મોત થયાં છે, જ્યારે 2644 નવા કેસ સામે આવ્યા છે. થોડા રાહતના સમાચાર એ છે કે આ બીમારીમાંથી અત્યાર સુધી 10,633 દર્દીઓ સ્વસ્થ થયા છે.

વિશ્વમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 34 લાખને પાર

વિશ્વમાં કોરોના વાઇરસ 187 દેશોમાં ફેલાઈ ચૂક્યો છે. વિશ્વભરમાં કુલ 34,28,395 કેસો નોંધાયા છે અને આ વાઇરસથી અત્યાર સુધી 2,43,807 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે અત્યાર સુધી આ બીમારીમાંથી 10,92,951 દર્દીઓ સ્વસ્થ થયા છે.

 ‘કોરોના વોરિયર્સ ડે’

દેશમાં સૌથી મોટા દુશ્મન કોરોના વાઇરસની સામે લડી રહેલા કોરોના યોદ્ધાઓને આજે ભારતીય સેનાઓએ વિશેષરૂપે આભાર વ્યક્ત કર્યો હતો. આ યોદ્ધાઓમાં ડોક્ટર્સ, નર્સ, પોલીસ, ડિલિવરી કર્મચારીઓ, બેન્ક કર્મચારીઓ, સરકારી કર્મચારીઓ અને મિડિયા કર્મચારીઓ સામેલ છે. આ દિવસ બહુ અદભુત છે. સેનાએ કોરાન યોદ્ધાઓનો આત્મવિશ્વાસ વધારી રહી છે. આ એ લોકો છે, જે પોતાનો જીવ જોખમમાં મૂકીને કોરોના પીડિતોની સેવામાં લાગેલા છે. સેનાએ આજના દિવસને કોરોના વોરિયર્સ ડે નામ આપ્યું છે.

દેશમાં કોરોના વાઇરસની રાજ્યવાર નીચે મુજબ રહી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular