Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 82,000ની નજીક, 2649 લોકોનાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા 82,000ની નજીક, 2649 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 82,000ની નજીક પહોંચી છે. અત્યાર સુધી 20 લાખથી વધુ લોકોના ટેસ્ટ થઈ ચૂક્યા છે. આરોગ્ય મંત્રાલય દ્વારા જારી થયેલા આંકડા મુજબ કોરોના સંક્રમિતોની સંખ્યા 81,970એ પહોંચી છે. અત્યાર સુધીમાં કુલ 2649 લોકોનાં મોત થયા છે. પાછલા 24 કલાકમાં 3967 નવા કેસ નોંધાયા છે, જ્યારે 100 લોકોનાં મોત થયાં છે. જોકે આ બીમારીમાંથી અત્યાર સુધી 27,920 લોકો સ્વસ્થ થઈ ચૂક્યા છે. રિકવરી રેટ 34.06 ટકા થયો છે. જોકે પાછલા બે-ત્રણ દિવસોમાં આશરે 10,000થી વધુ લોકો સંક્રમિત થયા છે. વડા પ્રધાને લોકડાઉન વધારવાની વાત પહેલાં જ કરી છે.

કોરોના સંક્રમિતોની સંખ્યા ચીનની નજીક

ભારતના કોરોના વાઇરસના કુલ કેસ ચીનમાં નોંધાયેલા કેસોની સમકક્ષ થઈ છે. ચીનમાં હાલ આ કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા 82,933 થઈ છે. દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 80,000ને પાર થઈ છે.

મહારાષ્ટ્રમાં કોરોનાના સૌથી વધુ કેસ

આરોગ્ય મંત્રાલયના આંકડા અનુસાર મહારાષ્ટ્રમાં કોરોના વાઇરસના અત્યાર સુધી 27,524 કેસ સામે આવ્યા છે. રાજ્યમાં 1019 લોકોનાં મોત થયાં છે. અહીં 6059 દર્દીઓ સ્વસ્થ થઈ ચૂક્યા છે. દેશમાં રાજ્યવાર કોરોના કેસોની સ્થિતિ નીચે મુજબ રહી હતી.

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular