Sunday, June 22, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 33,000ને પાર, 1074 લોકોનાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 33,000ને પાર, 1074 લોકોનાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના વાઇરસના સંક્રમિતોની સંખ્યા વધીને 33,050 થઈ ગઈ છે અને આ વાઇરસને લીધે 1074 લોકોએ જીવ ગુમાવ્યા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં આ વાઇરસના સંક્રમિતોના 1813 નવા કેસ સામે આવ્યા છે અને 71 લોકોનાં મોત થયાં છે. થોડા રાહતના સમાચાર એ છે કે દેશમાં અત્યાર સુધીમાં 8,325 લોકો આ બીમારીમાંથી સાજા થયા છે. જોકે છેલ્લા 24 કલાકમાં 313 લોકો આ બીમારીમાંથી ઠીક થયા છે, એમ આરોગ્ય મંત્રાલયે જણાવ્યું હતું.  

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 32,20,225એ પહોંચી

વિશ્વભરમાં કોરોના સંક્રમિતોની સંખ્યા વધીને 32,20225 થઈ છે અને 2,28,233 લોકોનાં મોત થયાં છે. વળી, આ બીમારીમાંથી અત્યારપ સુધી 10,00,351 ઠીક થઈ ચૂક્યા છે.

અમેરિકામાં 24 કલાકમાં 2502 લોકોનાં મોત

અમેરિકામાં પાછલા 24 કલાકમાં કોરોના વાઇરસથી 2502 લોકોનાં મોત થયાં છે. અમેરિકામાં રવિવારે અને સોમવારે મૃતકોની સંખ્યા ઓછી થયા પછી પાછલા બે દિવસમાં મૃતકોની સંખ્યામાં વધારો થયો હતો. અમેરિકામાં આ વાઇરસથી અત્યાર સુધી કમસે કમ 60,853 લોકોનાં મોત થઈ ચૂક્યાં છે.

દેશમાં રાજ્યવાર કોરોના વાઇરસની સ્થિતિ આ મુજબ રહી હતી.

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular