Friday, May 23, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર

કોરોના સંક્રમિતોની સંખ્યા 31 લાખને પાર

નવી દિલ્હીઃ દેશમાં કોરોનાના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 61,408 નવા કેસ સામે આવ્યા છે. આ સાથે છેલ્લા 24 કલાકમાં 836 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 31,06,348 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 57,542 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 23,38,035 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 7,10,771 પહોંચી છે. રિકવરી રેટ વધીને 75એ પહોંચ્યો છે. દેશમાં સક્રિય કેસની 23.45 ટકા છે અને મૃત્યુદર 1.85 ટકા છે.

3.64 કરોડ લોકોના ટેસ્ટિંગ કરાયા

દેશમાં સંક્રમિતોની સંખ્યા વધવાનું કારણ એ પણ છે કે ટેસ્ટિંગની સંખ્યામાં વધારો થયો છે. ICMR ના આંકડા અનુસાર 23 ઓગસ્ટે દેશમાં નવ લાખ લોકોની કોરોનાની તપાસ કરવામાં આવી હતી. દેશમાં 21 ઓગસ્ટ સુધી કુલ 3.64 કરોડ લોકોનાં સેમ્પલ ટેસ્ટિંગ થઈ ચૂક્યા છે. પોઝિટિવિટી રેટ સાત ટકાથી ઓછો છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular