Tuesday, July 15, 2025
Google search engine
HomeNewsNationalકોરોના સંક્રમિતોની સંખ્યા 3.50 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 2003નાં મોત

કોરોના સંક્રમિતોની સંખ્યા 3.50 લાખને પાર, છેલ્લા 24 કલાકમાં 2003નાં મોત

નવી દિલ્હીઃ દેશમાં કોરોના સંક્રમિતોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થઈ રહ્યો છે. પાછલા 24 કલાકમાં અત્યાર સુધી સૌથી વધુ મોત થયાં છે. દેશમાં પાછલા 24 કલાકમાં કોરોનાથી 2000થી વધુ મોત થયાં છે. આરોગ્ય મંત્રાલયે જારી કરેલા આંકડા મુજબ પાછલા 24 કલાકમાં 10,974 નવા કેસ સામે આવ્યા છે અને 2003 લોકોનાં મોત થયાં છે. દેશમાં આ વાઇરસથી અત્યાર સુધી કુલ 3,54,065 લોકો સંક્રમિત થઈ ચૂક્યા છે અને અત્યાર સુધી 11,903 લોકોનાં મોત થયાં છે. જોકે આ ખતરનાક બીમારીને 1,86,935 લોકો માત આપી ચૂક્યા છે. જ્યારે હાલ આ વાઇરસના સંક્રમિત સક્રિય લોકોની સંખ્યા 1,55,227એ પહોંચી છે. રિકવરી રેટ 52.79 ટકાએ પહોંચ્યો છે. આ વાઇરસ માટે હજી સુધી કોઈ રસી વિકસિત નથી કરી શકાઈ.

વિશ્વમાં કોરોનાથી 4,37,283 લોકોનાં મોત

દેશમાં કોરોના વાઇરસથી મૃત્યુ પામનારા લોકોની સંખ્ 10,000ને પાર થઈ ગઈ છે. કેન્દ્રએ પ્રતિદિન પરીક્ષણ ક્ષમતા વધારીને ત્રણ લાખ કરી દીધી છે. વિશ્વમાં કોરોના વાઇરસથી અત્યાર સુધી 4,37,283 લોકોનાં મોત થયાં છે અને આ પ્રમાણે ભારતનો આઠમો ક્રમાંક છે.  આ બીમારીથી અત્યાર સુધી 11,903 લોકોનાં મોત થયાં છે, જેમાંથી 70 ટકા દર્દીઓ મહારાષ્ટ્ર, ગુજરાત અને દિલ્હીના છે.

દેશમાં કોરોના કેસોની રાજ્યવાર માહિતી નીચે મુજબ છે.

 

 

 

 

 

RELATED ARTICLES
- Advertisment -
Google search engine

Most Popular